SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ૫૦ અક્ષર ચિંતવવા. આ પ્રમાણે ૨૦ રાઉન્ડ કરવા. તેમાં કુલ એક હજાર પાંખડીમાં ૨૦ વખત ૫૦ અક્ષરો આવશે. છેલ્લો રાઉન્ડ કર્ણિકામાં રહેલા મર્દની આજુબાજુ આવશે. કમળના બહારના રાઉન્ડથી ચિંતવતાં ચિંતવતાં અંદર છેલ્લે ૨૦ મા રાઉન્ડમાં કર્ણિકામાં રહેલા અર્દૂ સુધી પહોંચવાનું છે. તે પછી બ્રહ્મરંધ્રમાં `ગર્દનું ધ્યાન કરવું. આ ધ્યાનના અગણિત લાભો છે. અર્જુના ધ્યાનમાં તન્મય બની, ઉપયોગ અર્હમાં સ્થિર કરી, સંભેદ પ્રણિધાન કરવું. તે પછી આપણા આત્માનું અર્હરૂપે ધ્યાન કરવું. એટલે પહેલાં સંભેદ પ્રણિધાન કર્યા પછી અભેદ પ્રણિધાન કરવું. એટલે આપણા આત્માનું અર્હ રૂપે ધ્યાન કરવું. આ ધ્યાનથી આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે. આ ધ્યાનથી આપણા મસ્તકનાં સેન્ટરો ખુલી જાય છે. અને દિવ્ય શકિતઓ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિશેષ પ્રયોગ પૂ. ગુરુ મહારાજના માર્ગદર્શન પ્રમાણે સાધકના જીવનમાં શરૂ થયો, જે આજ પર્યંત ચાલુ છે. (આ ગ્રંથ વાંચનાર પ્રિય સાધક! આપ પણ પ્રયોગ કરો. જરૂર સફળતા મળશે.) પૂ. ગુરુભગવંતે પરમાત્મમિલનનો માર્ગ બતાવ્યો - ``અરિહંત પરમાત્માના ગુણોમાં તદાકાર બનવું. પરમાત્મ મિલન પરમાત્માની પ્રાપ્તિમાં પરિણમે છે. પૂ. ગુરુ ભગવંત કહે છે :- સાધક જ્યારે ભાવ અરિહંતના ધ્યાનમાં પોતાની મનોવૃત્તિઓ તદાકાર બનાવે છે ત્યારે પોતે પરમાત્મ રૂપ પરિણમે છે. જેમ પ્રગટ દીપકના પ્રકાશ સાથે એકમેક થવાથી બીજો દીવો પણ પ્રકાશિત બને છે અને અન્ય દીવાઓને પોતાના સમાન બનાવવા સમર્થ બને છે, તેવી જ રીતે કેવળજ્ઞાન જ્યોતિથી પ્રકાશવાન એવા પરમાત્મા સાથે તન્મય બનેલો અંતરાત્મા પણ પરમાત્મ જ્યોતિને પ્રાપ્ત કરે છે. ``ક્ષીર નીર પેરે તુમશું મિલશું, વાચક યશ કહે હેજે હલશું" આવું જ્ઞાનીએ ગાયું છે. શી રીતે આનંદ મિલન થાય ? ગુરુભગવંત કહે છે ``આગમમાં બતાવેલ તીર્થંકર પરમાત્મ સ્વરૂપમાં ઉપયુકત સાધક તે વસ્તુતઃ તીર્થંકર સ્વરૂપ છે." કારણ કે તે ઉપયોગ સાથે તેની અભેદ વૃત્તિ છે ``તેને આગમથી ભાવ નિક્ષેપ" જ્ઞાની પુરુષો કહે છે. આવો.... આપણે પણ ગુરુભગવંતની ભકત હૃદય સભર વાણીના સથવારે અમૃત તત્ત્વની ખોજ કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy