SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ હસ્ય, દીર્ઘ, ડુત, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ ઉચ્ચારણ દ્વારા ચક્રોનું ભેદન કરીને શકિતને બ્રહ્મરંધમાં લઈ ગયા. અને તે જાગૃત થયેલ આત્મશકિતને “સૌમ્ય” બનાવવા માટે નાભિમાં અમૃત સરોવરમાં ઊગેલા ૧૬ પાંખડીવાળા કમળની કર્ણિકામાં, જાગૃત થયેલ આત્મશકિતને ૧૬ વિદ્યાદેવીના કુંભમાંથી ઝરતા અમૃતથી પ્લાવિત થતી બતાવી છે. આ રીતે અમૃત સ્નાન કરવાથી જાગૃત થયેલ આત્મશકિત સૌમ્ય બની જાય છે. તેથી કોઇ વિકૃતિ કે પ્રત્યાઘાત ઊભા થતાં નથી. તે માટે આ અદ્ભુત પ્રયોગ છે. વિદ્યાદેવી માતાના પ્રેમાળ સંબોધનથી ભાવિત બનેલ જાગૃત આત્મશકિતમાં કોઇ વાસના કે વિકૃતિ ' થતી નથી. તે પછી જાગૃત આત્મશકિતની પરમાત્મ તત્વ સાથે બ્રહ્મરંધમાં સમાપત્તિ (સમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યાન, ધ્યેયની એકતા)ની પ્રક્રિયા તે અતિ અદ્ભુત છે. ત્યાં સાક્ષાત્કારની અવસ્થા આવે છે. સાધકને પોતાનામાં રહેલ પરમાત્મરૂપનું દિવ્ય જ્ઞાન અને અનુભવ થાય છે. સાધનામાં આવતાં વિદ્ગોના ઉપાયો ૨૦૧૭માં પૂ. ગુરુમહારાજનો ઘણો સમય પાટણમાં પસાર થયો અને ૨૦૧૮નું ચાતુર્માસ પાટણમાં થયું. સાધકના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બની. પૂ. ગુરુભગવંત પાસે જઇ બધી હકીકતો કહે છે. પૂ. ગુરુભગવંત કહે છે - ચમત્કારનું કદી મહત્ત્વ આંકવું નહિ. ચમત્કાર સાધનામાં વિષ્નકારક બને છે. સાધના અડધા રસ્તે અધૂરી રહી જાય અને જીવ ચમત્કારમાં ફસાય છે. ચમત્કારના નિમિત્તે જીવ પોતાનું મહત્ત્વ સ્થાપન કરવા પ્રયત્ન કરે છે. માટે ચમત્કારની વાતમાં કદી આવવું નહિ. પોતાનું લક્ષ્ય “આત્મસ્વરૂપનો અનુભવ કરવો’ - તેને જ મહત્ત્વ આપવું. એટલું ખાસ ધ્યાન રાખવું કે ધ્યેયથી થોડા પણ ખસ્યા તો અનંત કળે પણ આવી સામગ્રી મળતી નથી. અને ધ્યેયથી થોડું ખસતાં આપણા અને ધ્યેય વચ્ચે હજારો માઇલનું અને અસંખ્ય વર્ષોનું છેટું પડી જાય છે. માટે લક્ષ્ય આત્મસ્વરૂપની પ્રાપ્તિનું જ રાખવું. વ્યવહારની અને આર્થિક મુશ્કેલીઓ વખતે પૂ. ગુરુભગવંત કહેતા - આજે તને એવું લાગે છે કે નુકશાન થયું, ઉપાધિ આવી. પરંતુ જ્ઞાનીની દૃષ્ટિમાં તે નુકશાન કે ઉપાધિ નથી. આપણી સ્કૂલ બુદ્ધિ મુશ્કેલી કે ઉપાધિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy