SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानाभ्यासप्रकर्षात् पवनसहचरीभूतचेतःप्रशान्तिं, संप्राप्योपाध्यपायात् सहजनिरूपमानन्दसान्द्रप्रबोधैः । योगीन्द्रैः कुण्डलिन्यां नियमितमरुदापूरितब्रह्मरन्धैः । ध्येयं यस्य स्वरूपं स जयति पुरुषः कोऽपि सर्वार्थवेदी ॥३॥ શ્રી મુનિસુન્દરસૂરિ રચિત-સર્વજ્ઞાષ્ટક શ્લો. ૩ સર્વજ્ઞાષ્ટક માં પ્રાપ્ત થતો કુંડલિનીનો નિર્દેશ - આચાર્ય શિરોમણિ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત સર્વજ્ઞાષ્ટકમાં કુંડલિની શકિતનો નિર્દેષ આ રીતે મળે છે : યોગીન્દ્રો કે જેઓએ - ૧. ધ્યાનના અભ્યાસની પરાકાષ્ઠાથી પવન સહિત ચિત્તના નિરોધને પ્રાપ્ત કરીને અને ૨. એ પ્રકારે માનસિક વિક્ષેપ (વિષયાન્તરગામિ મન)ને દૂર કરીને, ૩. સહજ અને નિરૂપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રબોધને પ્રાપ્ત કરેલ છે. આત્માના પરમાનંદનો અનુભવ કરવાની મહાન પ્રક્રિયા યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના ૫ થી ૧૬ શ્લોકમાં બતાવીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે. તેમને અંતરથી પ્રણામ કરવા. " કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો આ “અહમંત્રના ધ્યાન દ્વારા શકિત જાગરણ, કુંડલિની ઉત્થાન, પરમાત્મ તત્ત્વ સમાપત્તિ, આત્માનુભવ, આત્મસાક્ષાત્કાર માટેનો આ દિવ્ય પ્રયોગ સાધક વર્ગને અદ્ભુત બક્ષિસ છે. જગતભરમાં કુંડલિની ઉત્થાન માટે જેટલા પ્રયોગો મળે છે, તેમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાને બતાવેલ આ પ્રયોગ સર્વશ્રેષ્ઠ લાગે છે. સામાન્ય રીતે શકિત જાગરણ પછી અનેક પ્રકારના રિએકશન (પ્રત્યાઘાત) સાધકોને અનુભવાય છે. મનની વિકૃતિ, શરીરમાં અવ્યવસ્થા, વાસનાની જાગૃતિ વગેરે અનેક વિકૃતિઓ કુંડલિની ઉત્થાન સમયે થાય છે. આ એક મોટું ભયસ્થાન છે. આ ભયસ્થાનને ધ્યાનમાં રાખીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન આ પ્રયોગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy