SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - સનાતન જાન કનક કામ ન પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના આશીર્વચન જ્ઞાન અને માહિતીમાં ફરક છે. જે સ્વલક્ષી છે તે જ્ઞાન અને જે પરલક્ષી છે તે માહિતી.... અનંતકાળથી માહિતીના જગતમાં જીવતા આપણા આત્માને પરમાત્માના જ્ઞાન થકી આત્મલક્ષી બનાવી સ્વની ઓળખ અને સ્વની અનુભુતિના જ્ઞાન તરફ લઈ જવું તે આત્માનું પરમ કર્તવ્ય છે. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ સેન્ટરના ઉપક્રમે આત્મિય શ્રી ગુણવંતભાઈ બરવાળિયાની સાહિત્યદષ્ટિને અનુલક્ષી વિચારવિમર્શ થતાં જ્ઞાનસત્રના આયોજનની ભૂમિકા બની અને બાપજી પૂ. લલિતાબાઈ મ.ની સાધના ભૂમિ કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર કરજણમાં પ્રથમ જ્ઞાનસત્ર અને રાજકોટ ધર્મનગરીમાં પારસ હોલમાં દ્વિતીય જ્ઞાનસત્ર યોજાતા એક નવી દ્રષ્ટિ અને જ્ઞાનયજ્ઞની અનુભૂતિ થયેલ. જૈન સમાજ એકતાની ઘણી વાતો કરે છે જ્યારે જ્ઞાનસત્રમાં સ્થાનકવાસી-મૂર્તિપૂજક-દિગંબર અને તેરાપંથી ચારેય ફિરકાના વિદ્વાનો પોતાની જ્ઞાનદષ્ટિને મુક્ત મને ઉદાર દૃષ્ટિએ વ્યક્ત કરે છે જે આવતી કાલની જેન પેઢી માટે આદર્શરૂપ બનશે. દ્વિતીય જ્ઞાનસત્રમાં વિશાળ સંખ્યામાં સાધ્વીવૃંદે પણ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ. પરમાત્મા મહાવીરના ધર્મવૃક્ષનું મૂળ નમસ્કાર મંત્ર અને ફળ મોક્ષ તો એક જ સર્વત્ર છે દરેક સંપ્રદાયોની ડાળ અલગ અલગ હોવા છતાં એકતા ભાવાત્મક છે. જ્ઞાનસત્રના આયોજનથી સર્વ ભાવોને જાણી આત્મભાવમાં રહીએ || એ જ શુભથી શુદ્ધ તરફની આત્મગતિ બને... – નમ્રમુનિ મ.સા., મુલુંડ (તા. ૧૩-૧૧-૦૫) I - - - - - - - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy