SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન જ - નાના નાના નાના કાકા અ ને કામ ન સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રિસર્ચ સેંટર તથા ઉવસગ્ગહર સાધના સંઘના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મુકામે જાન્યુઆરી ૨૦૦૫ના યોજાયેલ દ્વિતીય જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિદ્વાનોએ રજૂ કરેલ અભ્યાસ-લેખો, નિબંધો અને શોધપત્રો ગ્રંથસ્થા કરીને જ્ઞાનધારા-૨ રૂપે પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવું છું. જૈન સાહિત્ય અને સંશોધનમાં રસ ધરાવતાં વિદ્વાનો વર્ષમાં એક વાર મળે, વિચારોનું આદાન-પ્રદાન થાય, શ્રુતસંવર્ધનનો ઉપક્રમ જળવાઈ રહે એવો ઉમદા હેતુ જ્ઞાનસત્રના આયોજન પાછળનો છે. પરિપત્ર દ્વારા વિદ્વાનોને વિવિધ વિષયો પાઠવવામાં આવે છે, જેથી વિદ્વાનો તે વિષયમાં ઊંડો અભ્યાસ કરે અને તેની વિશિષ્ટ તૈયારી કરીને જ્ઞાનસત્રમાં પોતાનું પેપર રજૂ કરે જેથી તેમના એ અભ્યાસ લેખમાંથી અન્યોને જાણવા મળે અને પ્રેરણા પણ મળી રહે. જ્ઞાનસત્ર માટે નિબંધની તેયારી રૂપે સ્વાધ્યાયનું પણ સુંદર નિમિત્ત મળી રહે છે. હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રસ્તુત થયેલા પેપર્સ પણ જ્ઞાનધારામાં ગ્રંથસ્થ કર્યા છે. જ્ઞાનસત્રના સમગ્ર આયોજનમાં શાસન અરૂણોદય પૂ. શ્રી નમ્રમુનિજીની પ્રેરણા અને માર્ગદર્શન સતત મળતું રહે છે. જ્ઞાનધારાના સંપાદન કાર્યમાં ડૉ. રસિકભાઈ મહેતા અને મારા ધર્મપત્ની ડૉ. મધુબેન બરવાળિયાનો સહયોગ મળ્યો છે. આ પ્રકાશનના પ્રેરક દાતા ઉવસગ્ગહર સાધના સંઘનો આભાર માનું છું. ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુકાં ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, – ગુણવંત બરવાળિયા ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ), તા. ૧૫-૧૧-૨૦૦૫ મુંબઈ – ૪૦૦ ૦૭૭. ફોનઃ ૨૫ ૧૨ ૫૬૫૮ [email protected] - - - - - - Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy