SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ લાગણીની ભૂમિકાએ નહીં, બુદ્ધિ અને તર્કની ભૂમિકાએ સંતોષી શકે એવી ધર્મ પ્રવૃતિ જોઇએ છીએ. પ્રત્યેક સમસ્યા કે પ્રશ્નને તુલનાત્મક રીતે સમજીને એવો સ્વીકાર કરવાની તત્પરતા છે જ. પર્યુષણ પર્વ દરમિયાન કેટલી મોટી સંખ્યામાં, જુદા જુદા પ્રકારની તપસાધના કરતાં યુવાનોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. આ દર્શાવે છે તપ વિશેની એમની સમજણમાં એનાં વૈજ્ઞાનિક મૂલ્યો એને સમજાય છે. જૈનધર્મનો પ્રાણ તપ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પણ શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ સ્વીકારવા જેવો છે તેથી જ ઉમંગભેર એનો સ્વીકાર થાય છે. યુવાનોને ધર્માભિમૂખ કરવાના કામનો આરંભ તો ઘરથી અને માતાપિતા તથા કુટુંબના અન્ય સભ્યોના, સહકારથી જ થાય છે. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે' અને ‘કૂવામાં હોય તેવું હવાડામાં આવે.’ આ વાત સંપૂર્ણ સાચી છે. જીવનકલહમાં રોકાયેલા વડીલો માતાપિતા વગેરે પારિવારિક સભ્યો જ ધર્મક્રિયામાં ધર્મપ્રવૃત્તિમાં સક્રિય નહીં હોય તો બાળક કે યુવાન પાસેથી શી આશા રાખવી ? દરેક કુટુંબમાં આખા દિવસ દરમિયાન થોડોક સમય તો ધર્મપ્રવૃત્તિને જ્ઞાનચર્ચાને-જાપને આપવો જ જોઇએ. ઘણા લોકો એવું કહે છે કે ‘અમારી ઈચ્છા છે પણ સમય નથી' હકીકતે આ દલીલ સ્વીકારી શકાય તેમ નથી. વ્યક્તિ ધારે તો સહેલાઈથી સમય મેળવી શકે. જો આપણને સહુને નિરાંતે છાપું વાંચવાનો કે ટીવી પર એક બે કે વધારે ‘સીરિયલ' જોવાનો સમય મળતો હોય તો દૈનિક ધર્મપ્રવૃત્તિમાં સમય કેમ ન મળે ? ધર્મના પ્રચાર અને પ્રસાર માટે આ પ્રકારની વ્યવસ્થા ખૂબ ઉપયોગી થઈ રહેશે એમાં કશી જ શંકા નથી. આજે તો કેટલી બધી ઉપકારક સામગ્રી સામયિકો, પ્રવચનો, પુસ્તકો, કેસેટો, સમૂહ માધ્યમો દ્વારા મળી રહે છે. આ બધાંનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો ધર્મની સાચી સમજ કેળવાય અને આ વિષયની ચર્ચાને ખાસ કાંઈ અવકાશ ન રહે. શિક્ષણના માધ્યમથી ધર્માભિમુખ કરી શકાય ધર્મપ્રચાર થઈ શકે. આપણી પાઠશાળાઓની આજે શી હાલત છે? બાળકોને નાની વયથી જ પાઠશાળાનું ધર્મશિક્ષણ મળે એ માટેના બધા જ પ્રયાસો કરવા જોઇએ. જ્ઞાનધારા Jain Education International ૫૯ For Private & Personal Use Only - - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy