SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ બચાવનાર ? જો જૈન સમાજ એક હોય તો. જૈન એકતા માટે શું કરી શકાય? (૧) જો દરેક સંપ્રદાયના શ્રાવકો એક થઈ જાય, તો પછી સંતસતીઓમાં તુરત જ એકતા આવી જશે. ગુરુ બધાના અલગ હોઈ શકે પરંતુ પિતા મહાવીર તો બધાના એક જ રહેવાના. માટે જૈન મહાસંઘની સ્થાપના થવી જોઈએ. (૨) શિખરજી અંતરીક્ષ પરનો એક સંપ્રદાયનો હક દૂર કરી પૂરા જૈન-સમાજનો અધિકાર હોવો જોઇએ નહીંતર બેના ઝગડામાં ત્રીજો કાગડારૂપે બિહાર સરકાર માલિક થઈ જશે. પછી જૈનો પસ્તાતા રહેશે. (૩) મુખ્યવાત : સંતોના મન ટાપાનાં કારણો સાધુ સમાચારી છે. જ્ઞાનગચ્છ પોતાને શાસ્ત્રોક્ત સમાચારી પાળનાર બતાવે છે. ત્યારબાદ સમતા સંઘ કોઈ ખાવાપીવા મોજ શોખ માટે દીક્ષા લેતું નથી. આત્મકલ્યાણ માટે જ સંસાર ત્યાગ કરે છે. આપણામાં પંચ - મહાવ્રતધારી સાધુ કહેવાય છે. જેમાં પાદ-વિહાર, બ્રહ્મચર્યપાલન તથા અપરિગ્રહ મુખ્ય છે. દેરાવાસીમાં રસોડું સાથે જ હોય છે. જ્ઞાનપૂજનમાં પરિગ્રહની ભાવના આવી જાય છે. (૧) જેઓ શાસ્ત્ર પ્રમાણે નિયમ પાળે છે, તેમની પણ સમાજને જરૂર છે અને પૂરા વિશ્વમાં જૈન-ધર્મના પ્રચાર માટે ચક્રધારી સંતોની પણ જરૂર છે. જેવી રીતે ચંદનાજી અથવા અન્ય. આમાં પંચ મહાવ્રતધારીને પ્રથમ વર્ગમાં રાખી શકાય. જેઓ ટીફીન લે છે, ચંપલ-પંખા વાપરે છે. લાઈટ વાપરે છે. તેને અલગ મહત્ત્વ દઈ શકાય. તેઓ પણ વિહાર કરે છે. પંચમહાવ્રતનું પાલન કરે છે, માટે પૂજનીય તથા પથ-પ્રદર્શક તો છે જ. માટે આ પણ પ્રથમ વર્ગમાં જ સમાય છે. - – જ્ઞાનધારા (૨) બીજા વર્ગમાં ત્રણ મહાવ્રતધારી અથવા પ્રચારકને લઈ શકાય. જેમની પણ પ્રચાર માટે જરૂર છે. તેઓ સફેદ વસ્ત્ર ધારણ કરે. પરંતુ વાહન વિજળી પ્રચાર માટે વાપરી શકે છે. જેવી રીતે તેરા પંથમાં શ્રમણી હોય છે. Jain Education International - ૩૦ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy