SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં સંત સમુદાયની સામુહિક પરિષદો - પરિસંવાદો – ગોષ્ઠિઓ યોજાય છે. પોતપોતાના અનુભવો અને સંસ્મરણોનું આદાન-પ્રદાન થાય છે. સામૂહિક ચિંતન – મનન, સ્વાધ્યાય અને વિચાર - વિમર્શ થાય છે. જ્ઞાનગોષ્ઠિઓ થાય છે. સામયિક (current) સમસ્યાઓનું સમાધાન શોધવામાં આવે છે. તેરાપંથ સંઘની વિશિષ્ટતા એ છે કે સંઘનો પ્રત્યેક સભ્ય ચિંતન-વિચાર માટે સંપૂર્ણ સ્વતંત્ર છે અને નિર્ભયપણે પોતાના વિચારો - મત (suggestions) રજૂ કરી શકે છે. સંઘના સમસ્ત સભ્યોની અભિવ્યક્તિઓ (suggestions) ઉપર સમુચિત ચર્ચા-વિચારણા પછી આચાર્ય ભગવંત પાસેથી સંબલ (ભાતું) લઈ આગામી વર્ષ માટે વિહાર કરે છે. આમ, આત્માની સતત જાગૃતિ માટે અને સંયમને પોષવા માટે બનાવેલ મર્યાદાઓ સ્વેચ્છાથી સહર્ષ સ્વીકારી મર્યાદા મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે રાજસ્થાનના નાગોર જિલ્લામાં આવેલ લાડનું નામના ગામમાં તા. ૧૫મી ફેબ્રુઆરીએ તેરાપંથ સંઘના વર્તમાન શાસક દસમા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના નેતૃત્વ નીચે આ અનોખો મર્યાદા મહોત્સવ મનાવવામાં આવશે. પછી ચાલુ થાય છે શ્વેત વસ્ત્રધારી અકિંચન સંતોની ઉઘાડે માથે ને ઉઘાડે પગે પદયાત્રા જે દેશના વિભિન્ન ભાગો ઉપરાંત નેપાળ-ભૂતાન સુધી વિસ્તરે છે. સમણ - સમણીઓને દેશ અને વિદેશના પ્રદેશોમાં પણ જવાનો કાર્યક્રમ નક્કી થાય છે. | કાનધારા) જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) (૯) _ For Private & Personal use only Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy