SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. (એમણે માથા પર પાઘડી પહેરેલી). પાઠશાળાના પુસ્તકમાં પાઘડી પહેરેલા ગુરુજી મને તમે બતાવો, મળશે ક્યાં? પણ આપણે બહુ હોંશિયાર માણસો! પાંદડાંને પાણી પાઈએ છીએ, મૂળને પાણી નથી પાતા. મારે તમને મૂળને પાણી પાવાની વાત કરવી છે. જ્યાં સુધી આપણે આ પાઠ્યપુસ્તકોનું સમૂળગું પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી આમાં કશોય ફરક નહીં પડે! આપણે જ્યારે ભણતા હતાં ત્યારે પિતાજી કહે, આટલું તારે શીખવું પડશે. એટલે આપણે શીખી લેતા પિતાની આજ્ઞા સર્વમાન્ય હતી. શિરોધાર્ય હતી. એમાં કશું બોલાય નહીં. અને હવે કઈ પરિસ્થિતિ છે તે હું અને તમે જાણીએ છીએ (ખાનગીમાં). એક પિતાએ તેના પુત્રને કહ્યું, બેટા! તું એકવીસ વરસનો થયો. તારા જેવડા જ્યારે જવાહરલાલ નહેરૂ હતા ત્યારે Cambridgeમાં First class first આવ્યાં હતાં. દીકરાએ જવાબ આપ્યો. આપની ઉંમરના જ્યારે જવાહરલાલ નહેરુ હતાં ત્યારે ભારતનાં વડાપ્રધાન હતા! માટે જ યુવાનોને ધર્માભિમુખ બનાવતા, પહેલાં આપણે ધર્માભિમુખ બનવાનું છે. આપણે ભૂલ્યા છીએ જ ત્યાં! આપણે વડીલોને ભૂલી ગયાં. આપણે યુવાનોને પાઠશાળાએ મોકલવાની વાત કરી, વડીલોને કેટલાં મોકલ્યા ? વિચાર કરો ! Los Angelesમાં ૨૦૦ યુવાનો પાઠશાળામાં આવે, સાથે ૧૫૦ વડીલો પણ બેઠાં હોય અને તત્ત્વાર્થ ભણતા હોય! આ એક સરસ મજાની ઘટના છે. જ્યારે આપણે મોટા ભાગના વડીલોને ધર્માભિમુખ બનાવવાનું કામ કરતાં નથી અને એટલે જ કોઈકે કહ્યું છે, ‘પુરાણી ઔર નયી રોશની મેં જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા .. Jain Education International ૨૦૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy