SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઘસડી જાય છે મનોવૈજ્ઞાનિઓ કહે છે કે માત્ર બુદ્ધિથી બધી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. આધુનિક જીવનશૈલી માનવીના મન પર માનસિક તાણ ઊભી કરે છે તેના ચિતતંત્રને ઉત્તેજે છે ને માણસ સુખ-સમૃદ્ધિની લાલસામાં સ્વકેન્દ્રી, સ્વાર્થી ને દંભ નથી પોતાને અને અન્યને છેતરે છે તેથી જ્ઞાનતંતુના રોગોનો જલ્દી ભોગ બને છે. હતાશાનો શિકાર બને છે. હે, આત્મન્! વિશ્વની તમામ સામગ્રી, તમામ સંપત્તિ, તને પ્રાપ્ત થઇ જાય તો પણ તારા મનને અપર્યાપ્ત જ લાગવાની. કારણકે દુનિયા નાની છે. મનની ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે. મનમાં જગતનાં આકર્ષણો જેટલા વધુ તેટલી ઈચ્છાઓ વેગવંતી બનવાની. ઈચ્છા પ્રમાણે કોઈપણ કાર્ય નહીં થાય ત્યારે માણસ મનથી દુઃખી દુઃખી થઈ ફર્યા કરશે. આજનો બુદ્ધિશાળી માનવ ચંદ્ર ઉપર જવામાં સફળ બન્યો પણ પોતાના જ મન નામના ગ્રહ ઉપર જવામાં નિષ્ફળ બન્યો છે જેમ મકાનને કે આપણાં ઘરને આકાર આપવાનું કામ આર્કિટેક્ટ કરે છે તે જ રીતે આપણા માનવભવને પરમાત્મા સુધી લઈ જવાનું કામ આપણું મન કરે છે. પ્રભુ મહાવીરે બતાવેલા આચાર ધર્મનું પાલન કરીને મનુષ્ય જન્મ શ્રેષ્ઠ બને છે. જૈન દર્શનમાં કહ્યું છે કે, મન એવમ્ મનુષ્યાણાં કારણ બંધ મોક્ષયોઃ! માણસના કર્મબંધ અને મોક્ષનું કારણ મન છે. ને કર્મબંધના પાંચ કારણો મિથ્યા દર્શન, કષાય, અવિરતિ, પ્રમાદ અને યોગ. કષ + આય = કષાય, કષ એટલે સંસાર, આય એટલે વૃદ્ધિ, સંસારની વૃદ્ધિ તે કષાય. જેમાં ક્રોધ, માન, માયા, લોભ વિ.નો સમાવેશ થાય છે ને આ કષાયો આપણ મનને તથા તે દ્વારા શરીરને ઊધઈની જેમ કોરી ખાય છે. સતત બસ એકધારા આ ભાવો આપણા ચિત્તતંત્રને સાચું સુખ-શાંતિ પ્રાપ્ત કરવા દેતા નથી. પ્રભુ મહાવીર જેવા વૈજ્ઞાનિક આ દુનિયામાં બીજા કોઇ થયા નથી. તેમને કહેલો શબ્દે-શબ્દ સત્ય ઠરે છે. અને તેઓએ પોતાના કેવળજ્ઞાન દ્વારા આ સંપૂર્ણજ્ઞાન જગતને આપ્યું છે. પ્રભુ મહાવીર એક ઉત્તમ પ્રકારના ઉચ્ચ કક્ષાના સાયકોલોજીસ્ટ હતા. આજના ભણેલા સાઇકાટ્રીક ડૉ. પણ જૈન ધર્મમાં બતાવ્યા મુજબ મનોરોગીને જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International - ૧૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy