SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર જડ શરીર કોઈ ઉપયોગનું નથી પણ તેની અંદર રહેતો ચેતનવંતો આત્મા જ હૃદયના ધબકારાનો અનુભવ કરાવે છે ને તેથી જ મનુષ્યને સુખ દુઃખની લાગણીઓ, સંવેદનાનો અનુભવ થાય છે. જૈન દર્શનમાં એમ કહેવામાં આવ્યું છે કે, માણસનું મન એક દિવસમાં સરેરાશ સાઈઠ હજાર વિચારો કરે છે તન વિહાર કરે છે ને મન વિચાર કરે છે, મન વિચરે છે અને પરિણામે વિચારો જનમ લે છે સતત વિચારો કરવા એ મનનો સ્વભાવ છે. આપણાં સમગ્ર જીવનનું સુકાન આપણા મનના હાથમાં છે. આત્મા-પરમાત્માને તો કોણે જોયા છે? માત્ર મન દ્વારા આપણે તેને જાણીએ છીએ. મન તો ચંચળ છે. તે આપણા ચિત્તતંત્ર પર એક મહાસત્તાની જેમ રાજ કરે છે મનને અંકુશમાં રાખવાનું કોઈ રીમોટ કંટ્રોલ હજી સુધી શોધાયું નથી કે જેની વીચ દબાવો ને મન કાબૂમાં રહે. પરંતુ જેનદર્શનમાં તેની ઉત્તમ ચાવી બતાવી છે. જો તેને બરાબર સમજીને, જાણીને ઉપયોગ કરતાં શીખી જઇશું તો આપણો આ લોક કે પરલોક બંને સુધરી જશે. મનની શક્તિને સર્જનાત્મક માર્ગે લઈ જવા માટે પ્રભુ મહાવીરે બનાવેલા અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ, સત્ય, તથા તપ, જપ, ધ્યાન વ.વ. જૈન દર્શનમાં વિશેષ પ્રકારે આચરણમાં મૂકવા પર ભાર આપ્યો છે. માનવી માત્ર શ્રેષ્ઠ છે પરંતુ તેના ભાવનાત્મક મનના આધારે જ તેની વાણી, તેના સંસ્કાર જ તેની અંતિમ ઓળખ આપે છે. એક નગરની બહાર ઝૂંપડીમાં એક સંત રહેતા હતા. તેમની સાથે તેમનો શિષ્ય પણ રહેતો હતો ઝૂંપડીની બાજુમાં જ સ્મશાન ગૃહ હતું. ને સંતની ઝૂંપડી પાસેથી રોજ સ્મશાન યાત્રા નીકળતી. એક વખત તેમની નજીકથી સ્મશાનયાત્રા જઈ રહી હતી. ત્યારે કુતૂહલવશ શિષ્યએ પોતાના ગુરૂને પૂછ્યું, હે ગુરુદેવ આ જેની સ્મશાનયાત્રા જઈ રહે છે તે જીવ અત્યારે ક્યાં ગયો હશે? ગુરુદેવે કહ્યું કે, સ્વર્ગમાં. તો આમ બીજી કોઈવાર ગુરુદેવ જવાબ આપતાં કે નરકમાં ત્યારે શિષ્ય ફરીથી ગુરુદેવને પૂછ્યું કે, આપ શી રીતે આ કહી શકો છો. સંતે જવાબ આપ્યો કે, હે શિષ્ય હું કોઇ ત્રિકાળજ્ઞાની નથી કે નથી કોઇ જ્યોતિષશાસ્ત્રને જાણતો પણ મરનારની સ્મશાન યાત્રામાં જનારા લોકો મરનારા વ્યક્તિના વિશે તેના સદ્ગુણોને યાદ (જ્ઞાનધારા ૧૮૧) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy