SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તે નિર્જીવ તો હોય છે જ પરંતુ કીટાણુથી વ્યાપ્ત હોત નથી. જ્યારે લાલ કણોનું ઉત્સર્જન થાય છે ત્યારે તેમાં કીટાણુઓ (બેક્ટીરિયા) વગેરેનો તેમાં પ્રવેશ શરૂ થઈ ચૂક્યો હોય છે એટલે જ એ બે પરિસ્થિતિ વચ્ચેની પરિસ્થિતિમાં જ સાધુ - સાધ્વીને તે લેવા યોગ્ય હોય છે. વળી ઠંડાં સ્થાનોમાં પણ ભૂરા કણો અધિક પ્રમાણમાં હોય છે. ફ્રિજ તેનું જ્વલંત ઉદાહરણ છે અને એટલે જ ફ્રિજ કે એવાં સ્થાનોમાં ફળ વગેરે લાંબા સમય સુધી તાજાં રહે છે. સજીવ રહી શકે છે અને ગરમીમાં કોઈ પણ ફળ વગેરે જલ્દી સડી જાય છે અને બગડી જાય છે કારણ કે ગરમીમાં તેઓ ખૂબ ઝડપથી શક્તિકણોને બહાર ફેંકે છે. બરફ નીચે દટાયેલા, માનવ મૃતદેહો કે મૃત પ્રાણીઓ હજારો વર્ષો સુધી એવાં જ તાજાં રહેલા દાખલા નોંધાયેલા છે. તે પણ આ વાતને પુષ્ટ કરે છે. મનુષ્યોના આભામંડળની બાબતમાં નિષ્ણાતોનો એવો અભિપ્રાય છે કે કોઈપણ રોગ શરીરમાં પ્રવેશે, તેના ત્રણ મહિના પૂર્વેથી આભામંડળમાં રોગની અસર આવવા લાગે છે. એટલે કિર્તિયન ફોટોગ્રાફી દ્વારા લેવાયેલ આભામંડળના ફોટોગ્રાફ્સના પરીક્ષણ દ્વારા રોગને જાણી તેના ઉપચાર કરી રોગને શરીરમાં પ્રવેશતો અટકાવી શકાય છે અને નીરોગી બની શકાય છે. અલબત્ત, ત્યારે પણ રોગ સૂક્ષ્મ સ્વરૂપે તો શરીરમાં પ્રવેશી ગયો છે. માત્ર સ્થૂલ સ્વરૂપે તેનો આર્વિભાવ થયો હોતો નથી. આ શક્તિ ઉત્સર્જન દરેક સજીવ પદાર્થમાંથી થાય છે. એ ખરું, પરંતુ તેના પ્રકાર અને જથ્થાનો આધાર તે તે સજીવ પદાર્થની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ ઉપર છે. સાથે સાથે તે તે સજીવ પદાર્થના આત્માને લાગેલા શુભ કે અક્ષુબ કર્મો તથા આત્માની શક્તિને આવરણ કરનારાં કર્મો કેટલા પ્રમાણમાં દૂર થયા છે? તેના ઉપર પણ તેનો આધાર છે. આ બધા જ ઘટકો કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મામાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે, તેથી તેઓની જૈવિક વીજચુંબકીય શક્તિ ઉત્તમોત્તમ પ્રકારની તથા ઉચ્ચતમ જથ્થામાં હોય છે. જ્ઞાનધારા Jain Education International ૧૭૬ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy