SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પુનર્જન્મ : વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગો દ્વારા ફલીત થતા આત્માદેહનો ભેદ અને કર્મવાદની સાબિતી એડ્રગર કેસીના અઢી હજાર લાઈફ રીડીંઝે આપેલા સચોટ પુરાવાઓ તેમ જ પુનર્જન્મ વિષયક યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલા સંશોધનોએ, અમેરિકામાં તેમજ જગતભરમાં પુનર્જન્મના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી દીધો. “એજ-રીગ્રેશન” દ્વારા એ સાબિત થાય કે વ્યક્તિના જ્ઞાનનો આધાર દેહ નથી, દેહથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે, અને દેહના નાશ સાથે એ તત્ત્વનો નાશ થતો નથી. આત્માને પોતાની અભિવ્યક્તિ માટે એક શરીર કાર્યક્ષમ ન જણાય તો તે એ કાર્યને અનુરૂપ અન્ય શરીર શોધી લે છે. આત્માને પોતાની હયાતી માટે શરીરની જરૂર નથી, પણ તે માત્ર અભિવ્યક્તિ માટે શરીરનો સાથ શોધે છે. આ વિષયનાં અનેક દૃષ્ટાંતો પુસ્તકોમાં જોવા મળે છે જેની વેજ્ઞાનિક રીતે સચોટ ખાત્રી મળેલી છે. અતીન્દ્રિય જ્ઞાનશક્તિ માટે જેના પરિભાષામાં અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન અને મન:પર્યજ્ઞાન શબ્દો પ્રચલિત છે. વિભંગ કે અવધિજ્ઞાન વડે કોઇ પણ વસ્તુનું, સ્થળ કે કાળના પ્રતિબંધ વિના, જ્ઞાન થઈ શકે છે. મન:પર્યવજ્ઞાનથી બીજાના મનમાં વિચારો જાણી શકાય છે. ભગવાન મહાવીરના શિષ્યોમાંથી તેરસો મુનિઓને અવધિજ્ઞાન અને પાંચસોને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયાનો ઉલ્લેખ છે, જ્યારે વર્તમાનમાં જેન સાધકવર્ગમાં આવી અતીન્દ્રિય જ્ઞાનશક્તિનો ઉઘાડ કોઈને ભાગ્યે જ થતો જોવામાં આવે છે. તટસ્થ અને સત્યશોધક મનોવૃત્તિ રાખીને પોતાની સાધનાનું અન્વેષણ કરી જૈન સાધકોએ આમ થવાનું કારણ શોધી કાઢવું જોઇએ. જેનદર્શનકારોએ પાંચ જ્ઞાનના પ્રકાર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનનું વિશુદ વર્ણન અનેક આગમ ગ્રંથોમાં કરેલું છે તેમાં “અવધિજ્ઞાન' નાં લક્ષણો વિસ્મયજનક કે કલ્પોકલ્પિત લાગે એવા છે પણ આજના Internet / Email નાં જમાનામાં અવધિજ્ઞાનની શાસ્ત્રોમાં વર્ણવેલી વાતોમાં હવે તથ દેખાય છે. જે પદાર્થોને વર્ણ - ગંધ - રસ - જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy