SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્યાઓ છે. એના જીવનની અણમોલ ઘડીઓ તનાવયુક્ત જીવનશૈલીને કારણે શુભકાર્યમાં વપરાતી નથી. એ સંપૂર્ણ જિંદગી ટેન્શનમાં જ ગુજારે છે. આવી અનેકવિધ સમસ્યાઓનું સમાધાન જૈનધર્મમાં વિસ્તૃત રીતે દર્શાવેલું છે. ધર્મને સાચા અર્થમાં સમજી જીવનમાં ઉતારનાર માનવી શારીરિક પીડા, તનાવ, નિરાશા, આપઘાતિક વલણ વગેરેમાંથી મુક્તિ મેળવી સુખશાંતિમય જીવન ગુજારે છે. પ્રસ્તુત નિબંધમાં જૈનદર્શનના સિદ્ધાંતો સાથે વિજ્ઞાન કઈ રીતે સંકળાયેલું છે તે દર્શાવ્યું છે. એમાં પ્રથમ ધ્યાન અને શરીર સ્વાસ્થ્ય, પર્યાવરણ અને જૈન શાસ્ત્રોમાં સમાયેલી આજની અદ્યતન શોધોનો પરિચય કરાવ્યો છે. ધ્યાન અને શરીર સ્વાસ્થ્ય : આપણા પૂર્વાચાર્યો અને વર્તમાન આચાર્યોએ મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ અર્થે વિવિધ ધાર્મિક પ્રણાલીઓ પ્રતિપાદિત કરી છે. આ નિયમોના પાલન દ્વારા મનુષ્ય રોગમુક્તિ અને સુખશાંતિ મેળવે છે. આ પ્રમાણે વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદ પ્રસ્થાપિત કરવા જૈનધર્મ કટિબદ્ધ છે. જ્યારે મનુષ્યમાં માનસિક તનાવ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે જો એના કારણોનો અભ્યાસ કરવામાં આવે તો અનેક પરિબળો જોવા મળે છે જેમાં મુખ્યત્વે મનમાં દબાયેલી-ધરબાયેલી ઈર્ષ્યા, પ્રતિસ્પર્ધા, ઘૃણા, ભયની લાગણી કે સત્તા-સંપત્તિ માટેનો સંઘર્ષ, નિષ્ફળતા વગેરે જ હોય છે. મનુષ્યના અંતર્મનમાં આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તરત જ અંતઃશ્રાવી ગ્રંથિઓ સ્વતઃ કાર્યાન્વિત થઈ જાય છે. એમાંથી ઝરતા અનિયમિત શ્રાવને કારણે વ્યક્તિ શારીરિક ફેરફાર અનુભવે છે જે નીચે મુજબ છે. (૧) પાચનક્રિયા મંદ પડી જવી કે બિલકુલ સ્થગિત થઈ જવી. (૨) મોંના અંદરના ભાગમાં રહેલી ભીનાશ સુકાઈ જવું જેને કારણે ખૂબ તરસ લાગે છે. (૩) જલ્દીથી હાંફ ચઢે છે અને શ્વાસોશ્વાસ વધી જાય છે. ૧૨૬ જ્ઞાનધારા Jain Education International For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy