SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો (બીના ગાંધી : બી.એ. કૉમ્પ્યુટર વિજ્ઞાન, યોગિક કલ્ચર અને યોગિક શિક્ષણમાં ડીપ્લોમા કોર્સ કર્યો છે તથા નેચરોપથીનો પણ ડીપ્લોમા અભ્યાસ, ૧૪ વર્ષથી યોગ શીખવે છે, નિર્મલા નિકેતન કૉલેજમાં 'કાઉન્સેલર' છે. વિવિધ સામાયિકોમાં લેખ પ્રસિદ્ધ થયા છે. પ્રમોદાબેન ‘ચિત્રભાનુ' પાસે જૈનદર્શનનો અભ્યાસ કરે છે.) જ્ઞાનધારા જૈન દર્શન પ્રાચીનકાળથી જ તેની આહાર-વિહારની તથા આચાર વિચારની પદ્ધતિ માટે સારાયે વિશ્વમાં પ્રખ્યાત છે. તેના એક એક સિદ્ધાંત અને આહાર-વિહાર / આચાર-વિચારના પ્રત્યેક નિયમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. કારણકે આ નિયમો / સિદ્ધાંતો કોઈ સામાન્ય મનુષ્ય દ્વારા પ્રચલિત કરાયા નથી પરંતુ અનાદિ કાળથી આ નિયમો / સિદ્ધાંતો પૂર્વનાં તીર્થંકરો / મહર્ષિઓએ આધ્યાત્મિક પદ્ધતિએ જાણ્યાં છે અને આપણી સમક્ષ મૂક્યાં છે (આમ તો, વિજ્ઞાન અને અધ્યાત્મ, બંને એક સિક્કાની જ બે બાજુ છે. વિજ્ઞાનમાં બુદ્ધિ એ મહત્ત્વનું સાધન છે જ્યારે આધ્યાત્મિક પ્રગતિમાં બૌદ્ધિક સર્વોપરિતા જ અગત્યની નથી પણ અનુભૂતિ (Self-realisation) નું મહત્ત્વ છે. વિજ્ઞાન અંતિમ અથવા સંપૂર્ણ સત્યની વધુ નજીકમાં નજીક જઈ શકે છે પણ પામી નથી શકતું, તે માટે તો અધ્યાત્મના જ્ઞાનરૂપી ઉપકરણનો જ ઉપયોગ અનિવાર્ય છે) જૈનદર્શનના સિદ્ધાંતો કાળની ભઠ્ઠીમાં હજારો વર્ષોથી શેકાઈને પરિપકવ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International બીના ગાંધી ૧૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy