SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જ તે ધર્મ માનવતાના વિકાસનું સાધન, – ડો. શેખરચન્દ્ર જૈન (અમદાવાદથી પ્રસિદ્ધ થતાં “તીર્થકરવાણી' સામાયિકના વિદ્વાન તંત્રી, દેશવિદેશમાં અવારનવાર જૈનધર્મ પર પ્રવચનો આપે છે. જૈનધર્મની અનેક સંસ્થા સાથે સંકળાયેલા છે, આશાપુરા જૈન મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.) આજે આપણે ધર્મની વાસ્તવિકતાને ભૂલીને માત્ર ધર્મના નામને ચીલે જ ચાલી રહ્યા છીએ. ધર્મ જાણે કે આપણા જીવન કે દૈનિક વ્યવહારથી કોઈ અલગ જ વસ્તુ છે, આવું માનવા લાગ્યા છીએ. આપણે ધર્મનો ઉપયોગ બહુ જ છીછરી રીતે કરવો શરૂ કર્યો છે. ક્યાંક ઇસ્લામ ખતરામાં છે, તો ક્યાંક હિન્દુત્વની રક્ષાને માટે હથિયાર વહેંચવામાં આવી રહ્યાં છે. આરબ-ઇઝરાયેલ યુદ્ધ કે પંજાબ-કાશ્મીરમાં હિન્દુઓની હત્યા વગેરે કામો શું ધાર્મિક કામો કહેવાશે? આપણે ખરા અર્થોમાં ધર્મની વ્યાખ્યા જ નથી સમજ્યા. ઘર્મને નામે ઉછરતી સાંપ્રદાયિક વૃણાત્મક વાતોને જ ધર્મ માની લીધો. ઘઉંની સાથેના નીદામણને જ ઘઉંની મહત્તા આપી દિધી. વાસ્તવમાં આપણે ધર્મથી ગાઉના ગાઉ છેટા છીએ. સંક્ષેપમાં ધર્મની પરિભાષાને સમજીએ તો ધર્મ એ તત્ત્વ છે જે વસ્તુના સત્ય કે વાસ્તવિક સ્વરૂને જાણવા-સમજવાની ક્ષમતા પ્રદાન કરે છે. ધર્મની પરિભાષા કરતાં આચાર્યોએ વસ્તુના સ્વરૂપને ધર્મ કહ્યો. ધર્મ એવું શુદ્ધ સોનું છે જેને કોઈ પણ અગ્નિમાં તપાવવામાં આવે તોય શુદ્ધ સોનું જ રહે. જ્ઞાનધારા ૧૦૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy