SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શકશે. આજે જગતમાં કરોડોની વસ્તી વચ્ચે માનવતાની ખોટ છે. માનવતાનો પાયો બરોબર ન હોય તો આત્મદર્શનની લાયકાત આવતી નથી.’’ માનવતા ધર્મને જ્ઞાની ભગવતીએ ત્રણ તબક્કાઓનો કહ્યો છે. (૧) પહેલા ભાગમાં સુખ શું છે? કેવી રીતે મળે ? તેનો ઉપયોગ કેમ કરવો ? સંસ્કારોની જીવન પર અસર, ભૂતકાળના મળેલ પાશવી સંસ્કારોને કેમ ખેરવવા? વગેરે. (૨) કુટુંબ, ગામ, સમાજ, રાષ્ટ્ર, અને વિશ્વ પ્રત્યેનાં કર્તવ્યો તેનાં દૃષ્ટાંતો, કથા, ઉત્તમ પુરુષોની અને માનવતાના માર્ગે દોરી જાય છે. (૩) દિવ્યતા તરફ આરોહણ, સાધના કરી મૌલિક ધર્મથી આત્મવિશુદ્ધિ ભાવ કેળવવું. “જનસેવા એ પ્રભુ સેવા, એ સમજણ વિસરાય નહીં, ઊંચનીચનો ભેદ, પ્રભુના મારગડામાં થાય નહીં દયા શાંતિ સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે, એક સદાય સુજાગ્ય’ રાષ્ટ્ર ચિંતન : દેશના સમગ્રની સહુ પ્રથમ ફરજ તેના રાષ્ટ્રનું હિત ચિંતનની છે. તેની કોઈપણ પ્રવૃત્તિ રાષ્ટ્રવિરોધી ન હોવી જોઈએ. આ નેશનલ (level)ની ફરજ છે. સામાન્ય સંયોગોમાં દેશના નીતિનિયમનું પાલન કરવું અને (war) કે એવા અસામાન્ય સંયોગો તન, મન, ધન સર્વસ્વ અર્પણ કરતા ન અચકાવવું. જો રાષ્ટ્ર છે તો સમાજ છે. સમાજ છે તો સંઘ છે, સંઘ છે તો દેવ, ગુરુ ભગવંતોની ભક્તિ કરી શકીયે અને ધર્મમય જીવન ગાળી શકીએ. માટે પ્રથમ ભક્તિ દેશભક્તિ છે. જૈનદર્શન પણ રાષ્ટ્રના હિતમાં જીવન જીવવાની પ્રેરણા આપે છે. આપણે પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈ પ્રવૃતિ કરવી જોઈએ નહીં. ૧૫ કર્માદાન બતાવતા જ્ઞાની ભગવંતો એવા કોઈ વ્યવસાય કે ધંધા જેવા ચોરી ચપાટી, સ્મગલીંગ, ચરસ ગાંજા અફીણ ૯૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy