SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 421101 EINS BREBBERSHUI333333333ERSEGIBUBBBUR (8888888888888888888888888888888888888288888888888888888888888E88808088888888888888888888888888 અકામ નિર્જરા ઝાડના ડાળાંપાંખડાં કાપવા જેવી છે. મૂળ જમીનમાં કાયમ હોવાથી તે કાપેલા ડાળાંપાંખડાં પાછા પલ્લવિત થવાના જ. તેવી જ રીતે અસમ્યક્દષ્ટિમાં અજ્ઞાન દશાને લઈને ઉત્પન્ન થતા રાગદ્વેષ મહાદિના બીજ સત્તામાં હોવાથી તેમાંથી વારંવાર નવીન કર્મ થવાના જ. સમ્યક્દષ્ટિ જીવોને જ્ઞાનદશા જાગ્રત થયેલી હોવાથી સકામ નિર્જરા હોય છે. આ નિર્જરા ઝાડના મૂળિયાં ઉખેડી નાખવા જેવી છે. મૂળ નાશ પામતાં તેમાંથી ફરી અંકુરો ઉત્પન્ન થવાની શક્તિ નાશ પામે છે, તેમ જ્ઞાનદષ્ટિ જાગ્રત થયા પછીથી કરાતી ક્રિયા નવીન ફળ આપનારી થતી નથી એટલું જ નહિ પણ પૂર્વકર્મનો નાશ કરવાવાળી પણ થાય છે. જ્ઞાની પૂર્વકર્મના ધક્કાથી ચાલે છે. પૂર્વસંચિત કર્મના ઉદય અનુસાર દુનિયામાં પ્રવૃત્તિ કરે છે. તે ધક્કો બંધ થતાં તેની ક્રિયા અટકી જાય છે. અજ્ઞાની નવો ધક્કો આપે છે. કર્મને નવીન બળ આપે છે. તેથી જીવનચક્ર સદા ગતિમાન રહ્યા કરે છે, પરિભ્રમણ ચાલુ રહે છે. - આ ભાવનામાં ધ્યાન પર લાવવા જેવી બીજી નવીનતા એ છે કે પૂર્વકર્મનો અનુભવ કરતાં નવીન કર્મ ન બંધાય તે માટે પૂર્ણ સાવચેતી રાખવી. આ બાબત ઘણી જ મનન કરવા જેવી છે. એને માટે જેટલો પુરુષાર્થ કરવો ઘટે તેટલો કરવો યોગ્ય છે. પુરુષાર્થને અવકાશ પણ આ વાત માટે જ છે. બાકી તો પૂર્વનું કર્મ ચાલ્યું આવે છે. તે તો તમે હા કહો કે ના કહો. તમારી ઇચ્છા હોય કે ન હોય, તમે રાજી થાઓ કે ન થાઓ પણ તે કર્મ તો આવવાનું જ અને તમારે ભોગવવું પડવાનું જ. તે માટે પુરુષાર્થ કરવાની જરા જેટલી પણ જરૂર નથી. 3382UBBLBURUBUBURURGBGBUBUBUBBBBBGRUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUR GzBREABARRORRURERGERBERRRRRRRRRRRRRRRRREBEC4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy