SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ GRG RG REG RG REDGRGDG NG WERERG KERG GRGRERERERERERE GEREGGENGI GGSSSB,GSSSSSSSSSSS ધ્યાનદીપિકા સુખદુઃખના અનુભવથી તે ઓછું કરે છે તેટલું કે તેનાથી ઓછું અગર વધારે પાછું બંધાય છે. આ કારણથી ધર્મધર્મની વ્યવસ્થાની જરૂરિયાત સર્વ જીવને રહ્યા કરે છે. નિર્જરા તત્ત્વમાં નવીન એ બતાવવાનું છે કે અકામ નિર્જરા તો સર્વ જીવો કરે છે, પણ સકામ નિર્જરા ક૨વી તે પુરુષાર્થથી સાધ્ય થઈ શકે તેમ છે, ત્યાગીઓ નિગ્રંથો સકામ નિર્જરા કરી શકે છે. મૂળ ગ્રંથકારના શ્લોકમાં બતાવ્યા પ્રમાણે સકામ નિર્જરા નિગ્રંથોને હોય છે એ વાત ખરી છે. પણ નિગ્રંથનો અર્થ જે ત્યાગી થાય છે, તેટલો સાકંડો અર્થ ન લેતાં નિગ્રંથ એટલે ગ્રંથિ વિનાનો -“જેની રાગદ્વેષની ગ્રંથિ-ગાંઠ-તૂટી ગયેલી છે તેવા” એ અર્થ લેવો વધારે યોગ્ય છે મતલબ કે સંસારના પદાર્થોમાં મમત્વ કે આસક્તિભાવની લાગણીઓ જેની નાશ પામી છે તેવા સમ્યદૃષ્ટિવાળા જીવો ગ્રહણ કરવા તે અહીં વધારે યોગ્ય લાગે છે. આસક્તિ નાશ પામવાથી આસક્તિને લઈને થતી રાગદ્વેષની તીવ્ર પરિણતિ તે જેની સદાને માટે બંધ થઈ ગઈ છે, અનંત બંધને વિસ્તારનારી ક્રોધ, માન, માયા, લોભરૂપ અનંતાનુબંધી અજ્ઞાનપરિણતિ જેની છેદાઈ ગઈ છે તેવા જીવો નિગ્રંથ શબ્દથી ગ્રહણ કરવા. આવા જીવો ત્યાગી હોય કે ગૃહસ્થ હોય-તેમને સકામ નિર્જરા થાય છે. આ ઉપરથી એ નિશ્ચય કરવાનો કે જેને સમ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તેવા સમ્યક્ત્વવાન જીવોને સકામ નિર્જરા હોય છે. તે સિવાયનાને અકામ નિર્જરા હોય છે. અનિચ્છાએ આત્મજાગૃતિ વિના સ્વાભાવિક રીતે ઉદય આવી કર્મ ઓછાં થાય છે તે અકામ નિર્જરા છે. તે જીવની આવી ઇચ્છા નથી હોતી કે સત્તામાં મારે કર્મ પડ્યાં હોય તે બહાર લાવું કે બહાર આવી સર્વથા નાશ પામે અને હું મુક્ત થાઉં. ૯૪ 3888888a888888888a8a8aEst Jain Education International For Private & Personal Use Only 8888888 88888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy