SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા ખટખટ99સ્ટમર9 GRASS RSS થાય છે. સમ્યદૃષ્ટિવાળા જીવો આ કર્મ ભોગવતાં હર્ષ, શોક, કે રાગદ્વેષ ન કરતા હોવાથી તેમને સકામ નિર્જરા થાય છે અને તેઓ નવીન બંધ કરતા નથી. કર્મ ભોગવતાં હર્ષ, શોક ન થવાનું કારણ તેમનો સમ્યકૂદષ્ટિ થયેલી છે તે જ છે. તેમનો આત્મઉપયોગ-શુદ્ધ ઉપયોગ ક્ષણે ક્ષણે જાગ્રત હોય છે. તેથી અજ્ઞાન, મમતા કે અભિમાન તેમને થતાં નથી અને તેના વિના નવીન બંધ થતો નથી. જેમ પહેલાં નાના પ્રકારના પ્રતિકૂળ કષ્ટો સહન કરવાથી પાપકર્મની અકામ નિર્જરા થાય છે તેમ જ પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ સુખ ભોગવવાથી પણ પૂર્વનું બાંધેલ શુભ કર્મ-પુણ્ય ઓછું થાય છે. એટલે તેથી પણ અકામ નિર્જરા થાય છે. આ પ્રમાણે ઇષ્ટાનિષ્ટ સુખદુઃખ ભોગવવાથી સમ્યકૃષ્ટિ સિવાય નિર્જરા થાય છે, જે નિર્જરા સર્વ પ્રાણીને હોય છે. 38888888888888 4%*£88888883888888888 અહીં આ શંકા ઉત્પન્ન થવી યોગ્ય છે કે આવી નિર્જરા સર્વ જીવો કરે જ છે, તો તમે આ નિર્જરાતત્ત્વમાં નવીન શું બતાવ્યું ? વળી આવી નિર્જરાથી શું સંસારના બીજભૂત કર્મોનો નાશ થઈ શકે છે ? જો સુખદુ:ખ ભોગવવાથી કર્મનો નાશ થતો હોય તો તે તો સર્વને થયા જ કરે છે; તો પછી ધર્માધર્મની વ્યવસ્થાની મનુષ્યોને શી જરૂર છે ? આનો ઉત્તર આ પ્રમાણે છે. સર્વ જીવો સુખદુઃખ અનુભવીને કર્મ ઓછાં કરે છે તે વાત ચોક્કસ તેમ જ છે, પણ તે સુખદુઃખરૂપ શુભાશુભ કર્મનો અનુભવ કરતા તે જીવો રાગદ્વેષની નવીન લાગણીઓ ઉત્પન્ન કરે છે. અને જેટલી લાગણી મૃદુ કે તીવ્ર તેવું અને તેટલા પ્રમાણનું કર્મ બંધાય છે. કર્મની જાવક છતાં નવીન આવકને લઈને સંસારના બીજભૂત કર્મનો નાશ થતો નથી. મતલબ કે જેટલું કર્મ 888888888888888888888@8888888a8a888888લ ૯૩ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy