SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ E21 101 Elfus, 8393888888888 88 38.388/08/ RERURURUFURURURUPURERERURURURETERY કહેવાય છે. જેમ કે હિંસક સ્વભાવવાળી એકાદ ખરાબ વૃત્તિને રોકવી યાને તેમ ન કરવાની પ્રતિજ્ઞા લેવી અને તે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તન રાખવું આ દેશસંવર છે. 88888 8 સર્વથા સર્વ પ્રકારની વૃત્તિઓને મન, વચન, કાયાના યોગોને રોકી રાખવા અને પાછું તેમાંથી ફરી ઉત્થાન કોઈ પણ વખત ન થાય તેવી સ્થિતિમાં આવી રહેવું તે સર્વ સંવર કહેવાય છે. દ્રવ્યસંવર અને ભાવસંવર એમ પણ સંવર બે પ્રકારનો છે. આશ્રવ દ્વારો વડે આવતા કર્મ પુદ્ગલ લેવાનું બંધ કરવું તે દ્રવ્યસંવ૨ છે, જેમ કે અમુક વખત સુધી બોલવું બંધ કરવું કે શરીરની સ્કૂલ ક્રિયાઓ અટકાવવી, સામાયિકાદિ કરવું, ઇચ્છાઓ-વાસનાઓને માર્યા સિવાય મનાદિ યોગોની પ્રવૃત્તિ અટકાવવી, મહાવ્રતો કે સ્કૂલ વ્રતો લેવાં, વગેરે આ ક્રિયા સ્થૂલ પ્રયત્નસાધ્ય છે. અમુક વખત સુધી રહે છે પણ સત્તામાં તે વાસનાનાં બીજ હોવાથી પાછું ઉત્થાન થવા સંભવ છે. અર્થાત્ પાછું ફરીને તે દ્વાર ચાલુ થવા સંભવ છે. માટે તે દ્રવ્યસંવર છે. સંસારના કારણરૂપ ક્રિયાથી વિરમી જવું તે ભાવસંવર છે. આ સંવરની ક્રિયા ઘણા સૂક્ષ્મ પ્રયત્નસાધ્ય છે. સત્તામાંથી બીજનો સર્વથા નાશ થાય છે એટલે સંસારના નિમિત્તભૂત ક્રિયા થતી અટકે છે, મનાદિ યોગોનો સર્વદા, સર્વથા રોધ કરનાર યોગીઓને-કેવલીઓને આ સંવર છેવટની સ્થિતિએ હોય છે, પૂર્વનો દ્રવ્યસંવર તે વૃદ્ધિ પામતાં ભાવસંવરનું સ્વરૂપ ધારણ કરે છે. મનમાં જે જે જાતની વૃત્તિઓ ઊઠે છે તેના પ્રતિપક્ષભૂત સામી તેને હઠાવનાર વૃત્તિઓ પણ હોય છે, એટલે સંવરનો 88888888838,8888a88a*Gsa8KGK:ઉર્ષ ૮૭ www.jainelibrary.org Jain Education International 888888888888 For Private & Personal Use Only
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy