SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા મુખખખખ99984ર%ન છે. આચારાંગસૂત્રમાં પણ આ જ પ્રમાણે મન, વચન અને શરીરથી કરવા, કરાવવા અને અનુમોદવાની ક્રિયાને જ કર્મબંધનનાં કારણભૂત કહી છે. કર્મબંધનનાં બીજા કારણોનો હરકોઈ રીતે આ ત્રણમાં સમાવેશ થઈ શકે છે. શ્રાદ્ધ ત 3888888888888888 (3888888888 &8888888888 આ જ વાતને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. સમુદ્રની અંદર ચાલ્યા જતા વહાણને છિદ્ર પડવાથી જેમ તે છિદ્ર દ્વારા પાણી વહાણમાં ભરાઈ જાય છે અને જો હોશિયાર નાવિકકપ્તાન તે પાણીને કાઢી ન નાખે તથા પડેલા છિદ્રને બંધ ન કરી શકે તો તે વહાણ ડૂબી જાય છે, તેમ જ આ જીવ, મન, વચન, કાયાની રાગદ્વેષ અજ્ઞાનજન્ય ક્રિયાવાળાં છિદ્ર વડે શુભાશુભ કર્મ ગ્રહણ કરે છે અને જો તે જીવને ઉસ્તાદ ગુરુરૂપ કપ્તાન ન મળે તો આ જીવરૂપ વહાણ તળિયે જ બેસી જાય છે. અર્થાત્ જીવ વિવિધ પ્રકારની દુર્ગાતઓમાં રઝળે છે. આ આશ્રવને રોકવાના રસ્તાઓ સદ્ગુરુ દ્વારા જ સમજવા જેવા છે. કારણકે રોગોની માફક દવાઓ પણ અનેક હોય છે. પણ નાડી પરીક્ષા કરીને વૈદ્ય જો દવા આપે છે તો તરત તેની અસર થઈ શરીર નીરોગી બને છે. તે સિવાય પુસ્તકોમાં લખેલી દવા વાંચીને કરવાથી કે દવાખાનામાં ભરેલા બાટલાઓ પીવાથી ઉપયોગી અસર થતી નથી, તેમ સદ્ગુરુ વૈદ્યે કર્મરોગની પરીક્ષા કર્યા વિના પોતાની મેળે કરાયેલા કર્મ કાઢવાના ઉપાયો ઉપયોગી થતા નથી માટે તેવા અનુભવી ગુરુની નિશ્રાએ જ કર્મરોગની દવા કરવી, જે ભવિષ્યમાં કલ્યાણનું કારણ થાય છે. સંવર ભાવના ૮ अशेषाश्रवरोधो यः संवरोऽसौ निगद्यते । द्रव्यतो भावतश्चापि स द्विधेति प्रवर्तते ॥३१॥ ŠKURURURURURURUFUKURURUFUTURUKURUZEJURURGURE ¿4" Jain Education International For Private & Personal Use Only 88a8gP88 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy