SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 888888 &88888888888f88888 4893ર969R9,389,988 ધ્યાનદીપિકા બીજાના સુખનો નાશ કરવો, અન્યને ખરાબ કામમાં ઉત્સાહિત કરવા (ઉત્તેજન આપવું), નાના પ્રકારની ક્રીડાઓ કરવી, કામણાદિ કરી અન્યના મનને સ્વાધીન કરવું, ભય આપવો, ત્રાસ પમાડવો, નિર્દયતા વાપરવી, સદાચારની નિંદા કરવી, વિષયમાં આસક્તિ રાખવી, અસત્ય બોલવું, ચોરી કરવી, પરસ્ત્રીલંપટ થવું, સતીઓનાં શિયળ ખંડવા, આરંભ કરવો, પરિગ્રહ વધારવો, સાધુપુરુષોની નિંદા કરવી, ધર્મમાં તત્પર થયેલાને વિઘ્ન કરવું, સંસારની આસક્તભાવે અનુમોદના કરવી, ઉત્તમ ચારિત્રને દૂષણરૂપે કહેવું, શાંત થયેલા કષાયાદિની ઉદીરણા કરવી, કલેશ જગાડવો, દારૂમાંસનું ભોજન કરવું, લાંબા વખત સુધી વેર વધારવું, આર્ત્ત-રૌદ્રધ્યાન કરવું, મિથ્યાત્વ રાખવું, કરેલ પાપને છુપાવવું, દાંભિકતા રાખવી, વક્રપણું, અન્યને ઠગવા, માયાકપટનો પ્રયોગ કરવો, ચાડી ખાવી, ચિત્તની ચપળતા રાખવી, જૂઠી સાક્ષી ભરવી, દ્વેષભાવે અન્યના અંગોપાંગ કાપવાં, વિના પ્રયોજને મનુષ્ય તથા જનાવરો બંદીખાને નાખવાં, પાંજરામાં પૂરવા, હિંસક યંત્રો બનાવવા. કઠોર કે અસભ્ય વચન બોલવાં, પરના સૌભાગ્યનો નાશ કરવો, દાવાનળ સળગાવવો, ધર્મના સ્થાનો કે સાધનોનો નાશ કરવો, અન્યની અવજ્ઞા કરવી, સદ્ગુણનો નાશ કરવો, અસદ્ દોષનો આરોપ કરવો, પોતાની પ્રશંસા કરવી, છતાં દોષ ઢાંકવા, જાતિ આદિનો ગર્વ કરવો, અન્ય દાનાદિ કરતો હોય તેને ના પાડવી, અંતરાય કરવો, દેહનો ઘાત કરવો, ઈત્યાદિ બીજા પણ તેવાં જ ખરાબ કામ કહેવાય છે. રાગ, દ્વેષ કે અજ્ઞાનભાવે આસક્તિપૂર્વક તે કર્મ કરવાથી અશુભ કર્મ બંધાય છે. વિવિધ પ્રકારની મનની વૃત્તિઓ, વચનની વીચીઓ અને શરીરની પ્રવૃત્તિઓ, તે શુભાશુભ કર્મબંધનનાં કારણ LY JURURURUTEKETEZERETETERETERERETETETUTURUTUŽ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy