SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ \88888888888888 3\8888888988 888/03/30/08/ DE NE RG RE RE NGRE Z R98988@GGARBA SYS SGSY ધ્યાનદીપિકા આશ્રવ એટલે ચારેબાજુથી આવવું. આ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આવવું થાય છે. ‘આવવું’ એ સામાન્ય અર્થ છે. શુભ અને અશુભ એ તેના વિશેષ વિભાગો છે. શાથી આશ્રવ આવે છે ? મન, વચન અને શરીરની ક્રિયાથી મનમાં ઉત્પન્ન થતા વિચારો, વિકલ્પો, સ્ફુરણો તે શરીરને ગતિમાન કરે છે. પૂર્વના દૃઢ સંસ્કારોથી, વાસનાના બળથી મન પોતે ગતિમાં મૂકાય છે. અને તેની સાથે રાગદ્વેષની ચીકાશ સામેલ હોય છે. આ રાગદ્વેષની ચીકાશથી નવીન કર્મ ગ્રહણ થાય છે. તેવી જ રીતે શરીર ગતિમાં મૂકાઈને વિવિધ પ્રકારની ક્રિયા કરે છે. તે શરીર બહારથી પુદ્ગલોનું ગ્રહણ કરી વચન અને મનને ગતિમાં મૂકે છે અને પોતે પણ મૂકાય છે. આ ગતિમાં રાગદ્વેષની પરિણતિને લઈ હર્ષ, શોકની ઊર્મિઓ ઊઠે છે. તે દ્વારા વિવિધ સ્વભાવવાળા કર્મબીજોનો સંચય થઈ, સત્તામાં-કાર્મણશરીરમાં દૃઢ સંસ્કારરૂપે ખજાનો એકઠો થાય છે, જે પાછો સ્થૂલરૂપે રૂપાંતર પામતાં જીવો તેનો સુખદુઃખરૂપે અનુભવ કરે છે. જો આસક્તિપૂર્વક સારા કર્મો કરી એટલે મન, વચન, શરીરનો સારે રસ્તે ઉપયોગ કર્યો હોય તો શુભ કર્મ એકઠા થાય છે અને તેનો જો રાગદ્વેષ અજ્ઞાન વડે ખોટે રસ્તે ઉપયોગ કર્યો હોય તો અશુભ કર્મ એકઠાં થાય છે. જેમ કે દેવની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, સત્પાત્રોને દાન આપવું. ક્ષમા કરવી. સરાગ સંયમ પાળવો, ગૃહસ્થ ધર્મના વ્રતનિયમો પાળવાં, અજ્ઞાન તપ કરવું, સ્વાભાવિક નમ્રતા રાખવી, સરળ થવું, ધર્મધ્યાનમાં પ્રીતિ કરવી, સજ્જનોને સન્માન આપવું, ઉત્તમ મનુષ્યોની સોબત ૮૨ 38&88&888888888888889s8a888a88888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy