SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Ezilo1 EIRUSI BEBEREBUBBBBBBBBBBBBBBUBBBBBBBBBBB 888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે અને તેનો કર્તા આત્મા તે વ્યાપક છે માટે) અપેક્ષાએ આત્મા જ કર્તા-ભોક્તા છે. ' જ્યારે આ આત્મા સ્વ-પરભેદ વિજ્ઞાન દ્વારા શરીરાદિ પરદ્રવ્યોથી પોતાને પૃથક્ માને છે ત્યારે તે પુદ્ગલ દ્રવ્યોમાં થતી ઈનિષ્ટપણાની બુદ્ધિ મૂકી દે છે. આ ઇષ્ટ-અનિષ્ટતા પોતાના પરિણામોથી થાય છે, કાંઈ દ્રવ્યોમાં તેવા સારાનઠારાપણાની શક્તિ નથી. શુદ્ધ આત્મસ્વરૂપમાં પરિણામ લીન થઈ જાય છે ત્યારે ધ્યાતા ધ્યાનનો વિકલ્પ પણ રહેતો નથી. તાદાસ્યવૃત્તિથી શુદ્ધ આત્મસ્વરૂપમાં નિષ્ફપપણે કાયમનું પરિણમન થાય છે ત્યારે આ આત્મા કૃતકૃત્ય થાય છે. ૨૪. (જડ-ચૈતન્ય વસ્તુના સ્વભાવ જુદા છે.) सर्वथाऽन्यस्वभावानि, पुत्रमित्रधनानि च । चेतनेतरे वस्तूनि, स्वात्मरूपाद्विभावय ॥२५॥ विनैकं स्वकमात्मनं सर्वमन्यन्निजात्मनः । मत्वेतीष्ठाप्तिनाशेंऽगिन् हर्षशोकौ हि मूढता ॥२६॥ હે આત્મન્ ! ચેતન અને જડ વસ્તુઓ સર્વથા જુદા સ્વભાવવાળી છે. તેમ પોતાના સ્વરૂપથી પુત્ર, મિત્ર અને ધનાદિ તે પણ જુદા જ છે એમ વિચાર કર. એક પોતાના આત્મા સિવાય પોતાના આત્માથી સર્વ બીજું જુદું છે એમ માનીને ઈષ્ટની પ્રાપ્તિથી કે ઇષ્ટના નાશથી હર્ષ-શોક કરવો તે નિશ્ચય મૂઢતા-મૂર્ખતા છે. રપ-ર૬ ભાવાર્થ : દેહ આત્માથી જુદો છે એમ પહેલા કહી ગયા છીએ. મતલબ કે જડચૈતન્ય જુદા સ્વભાવના છે એમ જણાવી ગયા છીએ. હવે જ્યારે અત્યંત નજીકતા ધરાવનાર દેહ જો આત્માથી જુદો છે તો પછી દેહથી વધારે દૂર રહેનારા REBEBUBBBBBBBBBBBBBRSBBBBBBBBBBBBBBBBBBBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBAS GBBBBBBBBBBBBBBBBBBBBBBGROBZUBURUDUBEROBE 93 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy