SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888888888888888888888888 નિહાપકા P8X8HXHERA8A8HGHSHSHSHSRSRSRSRSRSRSRSRSRSR888888888888888888888888888888889 છે ફરી બંધન પામવાની યોગ્યતા તેમાં રહેતી નથી. થોડો થોડો હું શુદ્ધ થતો ચાલે છે. તેમાં અશુદ્ધતા નિમિત્તોથી આવી પડે છે પણ સર્વથા રાગદ્વેષ વિગેરે કષાયોનો ક્ષય કરી, શુદ્ધ થયેલામાં ફરી અશુદ્ધિ આવતી નથી. આત્મા ક્યારે અશુદ્ધ થયો તેનું મૂળ કોઈ પણ જ્ઞાનીઓ બતાવતા નથી. તેઓ પોતાના જ્ઞાનમાં અનાદિ જણાવે છે. અથવા તેમના જ્ઞાનમાં કાંઈ સમજવામાં આવતું હોય અને શબ્દો દ્વારા અનુભવની વાત વિના અનુભવવાળાને સમજાવી ન શકાતી હોય તો તે જ્ઞાનીઓ જાણે. પણ એકંદર અનેક સંપ્રદાયોમાં અનાદિ કે અનિર્વચનીય ઈત્યાદિ શબ્દો વપરાતા નજરે પડે છે એમ સમજાય છે. અનાદિ અશુદ્ધતા જણાવવા માટે શાસ્ત્રમાં સોના અને માટીનું દષ્ટાંત આપેલું છે કે સોનાની સાથે માટી-મેલ હોય છે. ખાણમાંથી નીકળતું સોનું રેતી, માટી કે પથ્થર સાથે મળેલું જ હોય છે. આ સોનું માટી કે પથ્થર સાથે ક્યારે મળ્યું અથવા તલમાં તેલ ક્યારે મળ્યું તે સમજી શકાતું નથી. છતાં અમુક જાતના સાંયોગિક પદાર્થો દ્વારા સોનું અને માટી, તેલ અને ખોળ તદ્દન અલગ થઈ શકે છે. આ દષ્ટાંતે આત્મા કર્મ સાથે ક્યારે બંધનમાં આવ્યો તે સમજાતું નથી છતાં તે સમ્યકજ્ઞાનાદિ નિમિત્તોથી કર્મથી સર્વથા જુદો થઈ શકે છે. ખાણમાં રહેલ સોનું અને તે સાથે રહેલ મેલની માફક આત્માની સાથે અશુદ્ધતાને અનાદિ સંબંધ છે. આ અશુદ્ધ સંબંધથી આત્મા પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલી, ઉદય આવેલ કર્મ પર્યાયમાં ઇષ્ટ-અનિષ્ટ ભાવથી રાગદ્વેષાદિ ભાવે પરિણમે હ્યું છે. આ પરિણામોનું કારણ દ્રવ્યકર્મ છે તો પણ પરિણામ એ ચૈતન્યમય આત્માની સાથે વ્યાપ્ય-વ્યાપક સંબંધ રહેલ હોવાથી (રાગાદિભાવ આત્માના કરવાથી થાય છે માટે તે વ્યાપ્ય છે BUBURBURUBUROREBOROBUDURBABUBUBBORREUZURUBURKIBUBUBUBOROBUDURVBGBUBUBURUDI 92 BBBBBBBBUBURUDUBURBUDURBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy