SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા 999 હીમેશ્વરજી RRRRRRસખ:68, કે જે ઇન્દ્રિયોથી અનુભવાય છે તેથી જે આનંદ થાય છે તે શુદ્ધ આનંદ નથી, તે સ્વતંત્ર આત્માનો આનંદ નથી પણ પુદ્ગલોથી મિશ્રિત છે. આ શુદ્ધ આનંદ સ્વભાવ પુદ્ગલોમાં નથી. પુદ્ગલના સ્વરૂપને પણ આત્માની મદદથી જાણી શકાય છે. આત્માનો સ્વભાવ વિશુદ્ધ છે. તે વિશુદ્ધિને લઈને લોકાલોકને પણ જાણી શકે છે યાને દેખી શકે છે. તેના વિશુદ્ધ સ્વભાવ ઉપર કર્મ-અણુઓનો પડદો છે કે જેને લઈને તે કલંકિત થયો છે, મલિન થયેલો છે, તેનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થયેલો નથી છતાં પણ અત્યારે જેટલું દેખી શકીએ છીએ, તે તેના થોડા પણ વિશુદ્ધ સ્વભાવને આભારી છે. શાસ્ત્રકાર કહે છે કે આત્માના આઠ રુચક પ્રદેશ નિરંતર ઉઘાડા રહે છે મતલબ કે તેના ઉપર આવરણ આવતું નથી. તે આવરાઈ જાય તો ચૈતન્ય જડની સ્થિતિને પામી જાય જુઓ કે એવું કોઈ વખત બન્યું નથી અને બને પણ નહિ. 3888888888 P888888888888 (88888088888888888888888888 આત્મા કર્મના પરમાણુ વડે દોષિત કરાયેલો છે. આનો અર્થ આવો નથી થઈ શકતો કે પહેલાં આત્મા નિર્મળ હતો અને પછી કર્મના અણુએ તેને મલિન કર્યો. વ્યવહારની અપેક્ષાએ તેમ માનવામાં આવે છે કે અમુક વખતે, અમુક મનુષ્યે આવું કર્મ બાંધ્યું અને તેના ફળ તરીકે આ દશા ભોગવે છે વિગેરે પણ મૂળ સ્થિતિ કેવી હતી ? શું શુદ્ધ જ હતી અને પછીથી કર્મ શરૂ થયા ? આનો ખુલાસો શાસ્ત્રો તરફથી આ જ મળે છે કે અનાદિકાળથી તેમ જ ચાલ્યો આવ્યો છે અને નિમિત્તોથી શુદ્ધ અને અશુદ્ધ થયા જ કરે છે. એકવાર સર્વથા શુદ્ધ થઈ જાય તો પછી ફરી અશુદ્ધ થવાની તેનામાં યોગ્યતા ચાલી જાય છે. શેકેલા કે રાંધેલા અનાજમાં જેમ ફરી અંકુર ઉત્પન્ન થવાની યોગ્યતા રહેતી નથી તેમ 8888888888888888888999839*9833399/8338 ૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy