SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 38888888888888888888888888888888 &888888888888888a8a8a8a8808/888888888888(8 888 83.4%નરસ્ટરસ્ટ દ્વ%888888 ધ્યાનદીપિકા ભાવાર્થ : દેહ અને આત્માના ઐક્યનો જે અધ્યાસ થઈ ગયેલો છે તે દૂર કરાવવા માટે બન્નેનાં ભિન્ન ભિન્ન લક્ષણો બતાવી તે બન્ને સ્વતંત્ર જુદા છે તેવી દૃઢતા કરાવવી તે આ ભાવનાનો હેતુ છે. શરીરનો સ્વભાવ અને આત્માનો સ્વભાવ તદ્દન અલગ છે. શૌયંતે રૂતિ શરીરમ્. સડી જાય, પડી જાય, વિધ્વંસ પામે તે શરીર. અમુક પરમાણુની વૃદ્ધિહાનિથી મોટું નાનું થાય, સારા ખોરાકથી તેજસ્વી બને. હલકા-ખરાબ ખોરાકથી નિસ્તેજ થાય, વધારે મહેનતથી ઘસારો પહોંચે. થોડી મહેનતથી પુષ્ટ થાય, જળના સંયોગથી સડી જાય, અગ્નિના સંયોગથી બળી જાય, અનુકૂળ અનાજ, પાણી આદિથી વૃદ્ધિ પામે, શોભાયમાન થાય, ટકી રહે વિગેરે અનેક અનિત્ય ધર્મો શરીરના છે. આત્માનો સ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે અને વિશુદ્ધ છે. જાણવાનો સ્વભાવ તે આત્માનું સ્વરૂપ છે. જડમાં જાણવાનો ગુણ નથી. દેહમાંથી આત્મા જુદો થતાં દેહમાં જરા પણ જાણવાનો ગુણ દેખાતો નથી. મૃતક શરીરોની આ સ્થિતિ આપણા સર્વના જાણવામાં છે. શરીર આખું છતાં તેમાંથી એવું શું ચાલ્યું ગયું કે બોલવું, ચાલવું, વિચારવું બંધ થયું ? ઉત્તર એ છે કે જેની મદદથી ક્રિયા થતી હતી અને તેમાં જે જાણનાર હતો તે આત્મા જ હતો કે જેની ગેરહાજરીથી તેમ થતું અટકી પડ્યું છે. આત્માનો સ્વભાવ આનંદમય છે. આ આનંદ સ્વભાવની પ્રતીતિ જ્યારે મન તદ્દન શાંત થઈ જાય છે, વિકલ્પો બંધ પડે છે અને મન આત્મામાં ગળી જવાની તૈયારી કરે છે તે વખતે અનુભવાય છે. દુનિયાનાં ઉપાધિજન્ય સુખ 90 JURUTÚRURU PERERERENERERERERERERURUPERERETERY Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy