SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 3333333 88888 88888983 8%,43988 ાનદીપિકા એનો ઉત્તર એવો છે કે ઘરનો માલિક કે જે કુટુંબનું પોષણ કરે છે, તેમાં તેને મોહ છે, મારાપણાનું અભિમાન છે અને સાથે તેનો સ્વાર્થ પણ રહેલો છે. આ કારણથી તે તેઓનું પોષણ કરે છે. આ મોહ કે અભિમાન ન હોય તો તેનું પરિણામ શું આવે છે તે સ્વાનુભવથી કે દુનિયામાં બનતા દાખલાથી પ્રત્યક્ષ વિચારવા જેવું છે. P888888 એક સ્ત્રી ઉપરથી ગમે તે કારણે મોહ ઓછો થતાં બીજી સ્ત્રી પરણે છે. તેમાં વિશેષ મોહ લાગતાં પહેલી સ્ત્રી ઉપરથી મોહ છૂટી જાય છે. તે વેળાએ તેના તરફ કેવું વર્તન કરાય છે, તેના પોષણને માટે શું થાય છે ? પોષણ આપવાની તો વાત શી પણ તે સ્ત્રી નજરે દીઠી પણ ગમતી નથી. કદાચ લોકલાજથી અનિચ્છાએ પોષણ આપવું પડે છે કે રાજાના ભયથી આપવું પડે છે તો પણ ઘણું થોડું જ. આ ઉપરથી નિશ્ચય થાય છે કે મોહથી જ પહેલાં પોષણ કરાતું હતું. પોતાના કુટુંબના મનુષ્યો દુ:ખી થતા હોય અને તે દેખી અન્ય કોઈ જરા મેણાંટોણાં મારે કે તમે શું મોઢું લઈને બોલો છો ? તમારા કુટુંબીઓ તો આમ દુઃખી થાય છે. ત્યારે અભિમાનવૃત્તિથી વિચાર કરે છે કે મારા કુટુંબીઓ (મારા બેઠા મારી હયાતીમાં) દુ:ખી થાય અને હું જોઈ રહ્યું તે ઠીક નહીં. લોકોમાં પણ ખોટું દેખાય છે, ઈત્યાદિ અભિમાન કે લોકલાજના વિચારથી તેના પાલન માટે પ્રયત્ન કરે છે. સ્વાર્થને લીધે પોષણ કરાય છે. સ્વાર્થ પૂરો થતાં દશ વર્ષ દૂધ આપ્યું હોય કે પંદર વર્ષ ખેડ કરી કે ગાડી ખેંચી હોય તેવા વૃદ્ધ (ઘરડા થયેલા) ગાય, ભેંસ, બળદ કે ઘોડાને પાંજરાપોળમાં મૂકવા દોડ્યા જાય છે. આનું કારણ સ્વાર્થ નહીં તો બીજું શું ? ૬૬ 383983333388a88888838&&&&933888@8338& Jain Education International 8888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy