SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 383388Y/8888/M/RY/88/3Y3Y38 ધ્યાનદીપિકા ઉપ૨ મજબૂત અસર બેસાડવી. સંસારમાં જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંયોગ, વિયોગથી જીવો કેવા આકુળવ્યાકુળ થઈ રહ્યા છે ! ક્ષણે ક્ષણે આયુષ્ય પૂર્ણ થતાં જીવો મરણ કરી રહ્યા છે ! દેવેંદ્રોથી લઈ એક કીડા પર્યંત જન્મમરણનો કેવો વિષમ ઘોંઘાટ મચી રહ્યો છે ! એક આત્મજ્ઞાની સિવાય જન્મમરણને લઈ કોઈ પણ જીવોના હૃદય શાંતિવાળા નથી. આ પ્રમાણે રાજા, રાંક, ગરીબ, ધનાઢ્ય, રોગી, નીરોગી, સુખી, દુઃખી, બુદ્ધિમાન, મૂર્ખ, ઇત્યાદિ હર્ષશોકની વિષમતાવાળા સંસારનું સ્વરૂપ વારંવાર દૃષ્ટિ આગળ લાવવાથી તેમાંથી વૈરાગ્યવૃત્તિ સ્ફુરવા સાથે તેના પ્રતિકાર તરીકે તેમાંથી બચવાના ઉપાયો તરફ મનુષ્યોનું વલણ થાય (જાગૃતિ આવે) તે સંસારભાવનાનું ફળ છે. ૨૧. એકત્વ ચોથી ભાવના शुभाशुभानां जीवोऽयं कृतानां कर्मणां फलं । सोऽत्रैव स्वयमेवैकः परत्रापि भुनक्ति च ॥ २२॥ कलत्रपुत्रादिकृते दुरात्मा करोति दुःकर्म स एव एक । भुंक्ते फलं श्वभ्रगतः स्वयं च नायाति सोढुं स्वजनास्तदन्ते ॥२३॥ આ જીવ કરેલા શુભ કે અશુભ કર્મોના ફળ તે પોતે જ આ જન્મમાં અને અન્ય જન્મમાં પણ એકલો જ ભોગવે છે. ૨૨. આ દુરાત્મા જીવ, સ્ત્રી અને પુત્રાદિ માટે દુષ્કર્મ કરે છે. તે એકલો જ તેના ફળ નરકમાં જઈ પોતે ભોગવે છે. તેના સંબંધીઓ તે ફળો ભોગવવા માટે તેની પાછળ (સાથે) આવતા નથી. ૨૩. Jain Education International 8888288/s3&TE ૬૪ 38:38888888/asafa3893833839389383388& For Private & Personal Use Only 88888888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy