SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ EU101 Elfus, KERURUFUFURURURURURLAUFURURUAN આપણા હાથમાં આત્મભાવને સમજ્યા પછી આટલું જ હથિયાર રહે છે કે આસક્તિ વિના, તેના ફળની ઇચ્છા વિના યોગ્ય કાર્ય કરતા જ રહેવું અને જે ઉદય આવે તેને રાગ દ્વેષ કે હર્ષશોકના પરિણામ કર્યા સિવાય સમભાવે ભોગવતા રહેવું. અહંભાવ જ કર્મબંધનું મુખ્ય અને અટલ કારણ છે આ સંબંધમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે - अकरिस्सं चहं काराविस्सं चहं करओ यावि समणुन्ने भविस्सामि एयावंति सव्वावंति लोगंसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । 8888888888 હું કરીશ, હું કરાવીશ, હું બીજા કરનારને સારું માની અનુમોદન આપીશ એટલા જ માત્ર આખા લોકમાં કર્મ બાંધવાના કારણરૂપ ક્રિયાઓના ભેદો જાણવાના છે. સર્વથા આ કર્મ આવવાના રસ્તાઓ બંધ થઈ શકે તેમ છે કે નહીં ? જવાબમાં તો આટલું જ કહેવું બસ છે કે તે બંધ થઈ શકે તેમ છે પણ અનાદિ અભ્યાસને લીધે કામ વિકટ જેવું લાગે છે. શરૂઆત આવી રીતે સરલ થઈ શકે કે પ્રથમ અશુભ (ખરાબ) કર્મો પ્રબળ પ્રયત્ન કરી ઓછા કરવા અને તેનું સ્થાન સારા કર્મોને આપવું એટલે સારા કર્મોનો વધારો થતાં અશુભ ઓછા થશે. પછી આત્મજ્ઞાનને મુખ્ય કરી શુભકર્મોને પણ રાજીખુશીથી રજા આપવી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરતા રહેવું. છેવટે બન્ને જાતનાં કર્મો બંધ પડતા જન્મમરણો થતાં અટકશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થવાશે. આ સિવાય નાના પ્રકારની જીવોની જાતિઓમાં જન્મમરણ ચાલુ જ રહેશે. આ સંસારવિચારની ભાવનાની મન 338338888888 KURURURUZURUKUKURUKUFURURURURURUTURURURURU FJ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy