SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 88888818 કચ્છનLSYS SYS SLSE SYGALSA યાનદીપિકા વમળ અને વડવાનળના અસહ્ય તાપથી દુ:ખથી ઘણા હેરાન થાય છે અને વારંવાર જન્મમરણ કરે છે, તેમ જ આ સંસારમાં જન્મ, જરા, મરણના સપાટાથી વારંવાર અસહ્ય દુઃખનો અનુભવ કરતા જીવો અનેક ગતિઓમાં પરિભ્રમણ કરે છે. આત્મસ્વરૂપ રૂપ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય શાંતિ થવાની જ નથી. ૨૦. उत्पधन्ते विपधन्ते त्रसेषु स्थावरेषु च स्वकर्मप्रेरिता जीवाः संसारस्येतिभावनाः ॥२१॥ પોતાના કર્મથી પ્રેરાયેલા જીવો, ત્રસ અને સ્થાવરોમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. એ સંસારભાવના છે. ૨૧. ભાવાર્થ : સારા કે નઠારા જેવા કર્મ કર્યાં હોય તેના પ્રમાણમાં તે જ કર્મપ્રેરણા વડે જીવો હાલેચાલે તેવી અને સ્થિર રહે તેવી ત્રસસ્થાવરની જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. આસક્તિવાળા રાગદ્વેષની લાગણીઓવાળા કર્મોની જ પ્રેરણાથી ઉત્પન્ન થવાપણું અને મરવાપણું હોય તો તે કર્મો જ બંધ કરવા જોઈએ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ જ ન થાય. આ વાત બરોબર છે પણ આ જીવે પોતાની અજ્ઞાનાવસ્થામાં કર્મના સંચાઓ ગોઠવી મૂકેલા છે, ચાવી એવી મજબૂત ચડાવી મૂકેલી છે કે ઇચ્છા હોય કે ન હોય પણ કર્મ કર્યા સિવાય તેને ચાલતું જ નથી પછી તે મનથી, વચનથી કે શરીરથી પોતે કરતા હોય કે અન્ય પાસે કરાવતા હોય, અગર કોઈ કરતું હોય તો તેને સારું જાણતા હોય તેની અનુમોદના કરતા હોય પણ તે સંચાઓ ચાલ્યા જ કરવાના. તથાપિ જે અભિમાનથી, અહંકારથી કે મમત્વથી, લાગણીથી કર્મ કરાય છે તે કરતાં અટકવું જોઈએ. 8888a8a8a8a88888 Jain Education International 888888888£ ૬૨ ૩888838.8a8a8a8aa38@Jaa8888888888888& For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy