SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Ezilot ElfysI BEREBBBBBBBBBBBBBBBBBBBBBBBB 28888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે કે વિષયો શરણભૂત નથી પણ તેમાં કરાતી આસક્તિ મરણ છે હું દેવાવાળી છે. વિષયો માટે મોટી મોટી લડાઈઓમાં ઊતરી હજારો મનુષ્યોના જાન લીધા છતાં પરિણામ એ આવ્યું કે તે છે વિષયોને અહીં મૂકી દઈ હાથ ઘસતા, હાયવોય કરતા અને નિસાસા મૂકતા તેઓ એકલા જ ઘોર ગતિમાં રૌરવ દુઃખનો અનુભવ કરવા લાગ્યા અને જેને માટે સંગ્રામ કરવાની જરૂર પડી હતી તે પૃથ્વી કે પત્નીનો અંતે બીજા ઉપભોગ કરવા લાગ્યા. આ પ્રમાણે સર્વ વિષયોની સ્થિતિ છે એટલે વિષયો ઉપરનું મમત્વ એ આપણું રક્ષક નથી પણ ભક્ષક છે; તેનાથી આપણો બચાવ નથી પણ નાશ છે માટે આપણા ખરા બચાવ કરનારની શોધ કરી આશ્રય લેવાની જરૂર છે અને તે જ તમારો બચાવ કરનાર તમારો મહાન શક્તિવાન આત્મા જ છે, તેને ઓળખવો તેમાં જ તમારું કલ્યાણ રહેલું છે અને તે જ કર્તવ્ય છે. ૧૮. नीयमानः कृतान्तेन जीवोऽत्राणोऽमरैरपि । प्रतिकारशतेनापि त्रायते नेति चिंतयेत् ॥१९॥ યમ વડે લઈ જવાતા અશરણ જીવનું સેંકડો ઉપાયો હું વડે દેવો પણ રક્ષણ કરી શકતા નથી એમ વિચારવું. ૧૯ ભાવાર્થ : દેવો પણ મરણને શરણ થાય છે છતાં તેની આગળ કાંઈ ઉપાયો હોય અને મરણને શરણ થતા જીવોનો અગર તો પોતાનો જ કોઈપણ ઉપાયથી બચાવ કરે તો સારી વાત છે. એમ સાંભળવામાં આવે છે કે દેવોની પાસે અમૃત હ્યું છે. દેવો પોતે પણ અમર કહેવાય છે; એટલે તેમની આગળ હું મરણથી બચવાના ઉપાય હોવો જોઈએ. - આનો ઉત્તર કહે છે કે દેવોની પાસે અમૃત છે, તે ભલે હો પણ તે અમૃત આ મરણથી બચવા માટે ઉપયોગી થતું GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBA 888888888888888888888888888888888888888888888888 ૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy