SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ GABBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURI Ellusi SBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURUDUBURUBURURURUBBBBBBBBBBBBBBBBBBBURU BEBERGRUBE છે વધારે શક્તિ ધરાવનારા ગગનગામી વિધાધરો ! તમારી પણ આ જ સ્થિતિ છે. તમારી ગગનગામી શક્તિરૂપ પરાવર્તન કરનારી વિદ્યા, અપ્રતિહત શક્તિવાળા શસ્ત્રો, ભૂત-ભવિષ્યના સમાચાર આપનારી રોહિણીપ્રમુખ વિદ્યાદેવીઓ, અનેક કળાનિપુણ વિદ્યાધરીઓ અને ફરવાના આકાશગામી વિમાનો તેમાંથી કોઈપણ બચાવે તેમ છે ? હે અનાથ અને અશરણ જીવો ! જડ માયાથી બચવા માટે તેમાંથી આસક્તિ દૂર કરવા @ માટે તમારા શુદ્ધ આત્મદેવને શરણે જાઓ. ૧૭. ઇંદ્રિયોના વિષયોનો ઉપભોગ એ તમારો બચાવ નથી. इंद्रियभरानुभूतैरद्भुत नवरसकरश्चै निजविषयैः । . श्रुतदृष्टलब्धर्मभुक्तैर्यदि मरणं किं ततस्तै ः ॥१८॥ ઇન્દ્રિયના સમૂહ વડે અનુભવાતા અદ્ભુત નવરસને ઉત્પન્ન કરનારા સાંભળેલા, દેખેલા, મેળવેલા અને ભોગવેલા પોતાના (મેળવેલા) વિષયો વડે કરીને જો મરણ થાય તો પછી હે માનવો ! તે વિષયોનું પ્રયોજન શું છે? તે વિષયોમાં અધિકતા શાની ? અર્થાત્ તેમાં શો સ્વાર્થ સંધાય છે અગર ફાયદો લાગે છે ? ૧૮. ભાવાર્થ : જેનું શરણ તેનાથી જ ભય ઉત્પન્ન થતો હોય તો તેનું શરણ શા કામનું ? જો સોનું કાન તોડતું હોય તો પછી તેને કાને વળગાડવાનું પ્રયોજન શું ? તેમ જ ઇન્દ્રિયોના સુંદર વિષયો કે જેને મેળવવા માટે મનુષ્યો અહોનિશ પ્રયત્ન કરી રહ્યા છે. ભવિષ્યમાં પોતાને ઉપયોગી થશે તેમ ધારી સંચય કરી રહ્યા છે અને વર્તમાનકાળમાં ઇચ્છાનુસાર તેનો ઉપયોગ લઈ રહ્યા છે, તે વિષયોથી મરણ થતું હોય તો પછી તે ગમે તેવા દેખાવથી લલચાવનાર હોય છે હું તો પણ તેમનું શું પ્રયોજન છે ? કંઈ નહીં. આશય એવો છે SUBSBURBUREBBERORUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBREDBUBUBURBURURUBURURUBUR 4C BUBURUZK33BBBBBBBBBBBBBBBURBEROBERURSUS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy