SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ cello Ellys BBBBB:BZWBORSABZURUBBBBBPSIBEREIBER 3a8aa88888888888888888888888888888888888888888888888888888888888888888888888 જ્યારે તેઓ પોતાનું રક્ષણ કરી શકતા નથી, તો પછી જેના હું તેઓ અધિપતિ છે એમ તેઓ માને છે તેઓનું તેઓ કેવી રીતે રક્ષણ કરી શકશે ? આ જ પ્રમાણે મનુયેંદ્ર જે ચક્રવર્તી કે સામાન્ય રાજાઓ અને વિવિધ પ્રકારની વિદ્યાની શક્તિઓને ધારણ કરનાર વિદ્યાધરો તેઓ પણ મરણના પાશમાં સપડાઈ અનાથ અશરણ થઈ પરલોકમાં ગમન કરે છે; તેમને કોઈનું શરણ નથી. કરોડો મનુષ્યો પર હુકમ ચલાવનારાઓ, લાખો ગામો ઉપર અમલ કરનારાઓ, હજારો શત્રુઓના જાન લેનારાઓ અને દુનિયામાં અદ્વૈત યોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામેલા મહાન ચક્રવર્તી જેવા લાખો રાજામહારાજાઓ આ યમરાજાની રણભૂમિમાં એવી લાંબી શય્યા પર પોઢ્યા છે કે તેમના નામનિશાનનો હું પણ પત્તો નથી. જેઓ મોટાં સિંહાસનો શોભવતા હતા તેવા અનેક વીરો હું રાણીજાયાઓએ પણ છેવટે સ્મશાનભૂમિને જ શોભાવી છે. અર્થાત્ સ્મશાનભૂમિનો જ આશ્રય લીધો છે. શરણાગત વત્સલના બિરુદો ધરાવનાર વીરપુરુષો ક્યાં ગયા ? કાળના ઝપાટામાંથી કોણ બચ્યું છે ? “હું તમારું રક્ષણ કરીશ !' આવા વચનો આપનારા વીરનરો ક્યાં છુપાઈ ગયા ? ઓ પામર મનુષ્ય કીડાઓ ! તમે શું કરી શકો તેમ છો ? તમારા પોતાના બચાવનો પણ ઉપાય કરી શકતા નથી તો તમે શાનો ગર્વ ધરાવો છો ? આ ધન, ધરા, દારા વિગેરેએ કોઈનો બચાવ કર્યો છે ખરો કે ? શા માટે તેમાં મમત્વ ધરાવો છો? કોના આશ્રયથી નિશ્ચિત થઈને એશઆરામ કરો છો ? છે ચેતો ! અને તમારા બચાવના ઉપાયો શોધો ! જ્યાં આશા બાંધી છે ત્યાંથી તો અવશ્ય નિરાશા જ મળશે. મનુષ્યોથી 9828RCRURGICROBERUBEROBERURUBUBUBUBUBURBURBEVRUSURUBURUZUIVEREBBBBBBBB. ફિ888888888888888888888888888888888888886886988 ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy