SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 99°9નુંસરખ9898998 છે તેનું વર્ણન સાંભળવાને જ ના કહે છે ત્યારે જીભ તો તેને પ્રવેશ કરાવવા માટે હોઠરૂપ દરવાજો ઉઘાડે જ શા માટે ? અહાહા ! કેવી પદાર્થોની અનિત્ય સ્થિતિ છે ! 838a888888888 (03/383838a8a888 ખરી રીતે આ પદાર્થોની સ્થિતિ જ આવી છે કે મનની માન્યતા તેવી છે તે બતાવે છે. अशुभार्थः शुभार्थः स्याच्छुभार्थोप्यशुभस्तथा । रागद्वेषविकल्पेन भावानामित्यनित्यता ॥१६॥ અશુભ પદાર્થ શુભ પદાર્થ થાય છે, તેમ જ શુભ પદાર્થ પણ અશુભ પદાર્થરૂપે થાય છે. રાગદ્વેષવાળા વિકલ્પો વડે કરીને આ પ્રમાણે પદાર્થોની અનિત્યતા છે. ૧૬. ભાવાર્થ : વસ્તુતઃ દુનિયાના કોઈપણ પદાર્થનો નાશ થતો નથી, કોઈ ને કોઈ પણ રૂપાંતરે આ જગતમાં તે પદાર્થની હૈયાતી કાયમ જ છે. અશુભ પદાર્થ શુભ થાય છે અને શુભ અશુભ થાય છે. આ બન્ને સ્થળે મનની રાગદ્વેષથી વિકલ્પવાળી માન્યતા જ અનિત્યતા માનવામાં કારણભૂત છે. ઇષ્ટ પદાર્થના સંયોગથી, અનિષ્ટ પદાર્થના વિયોગથી સુખ થતાં માણસો ખુશી થાય છે ત્યારે ઇષ્ટ પદાર્થના વિયોગથી કે અનિષ્ટના સંયોગથી ખેદ કે દ્વેષ થતાં માણસો પોતાને દુઃખ માને છે. બીજી રીતે વિચાર કરીએ તો પદાર્થ એકના એક જ હોય છે. એક વખત પોતાની માન્યતાને લઈ તે ઈષ્ટ હોય છે, ત્યારે તેનો તે જ પદાર્થ બીજી વખતની જુદી માન્યતાને લીધે અનિષ્ટ લાગે છે; અથવા એક પદાર્થ કોઈ હેતુને લઈ પોતાને ઇષ્ટ હોય છે તે જુદા હેતુ અગર જુદી માન્યતાને લીધે બીજાને અનિષ્ટ લાગે છે અને જે પદાર્થ કોઈ હેતુથી પોતાને અનિષ્ટ લાગે છે તે અન્યને અન્ય કારણને લીધે ઇષ્ટ KUKURUBURBAUTURUKETUTURURURURLAUFUFUTURURY 43′′ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy