SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ SRPSBEPERSBORG RESPUBBBBBBBBBBERSEBUTSZ1101 Ellos) 888888/9388888888888888888888888888888888888888888888888888888888888888888888888 આસક્તિનું પરિણામ છે. આત્મસુખના અર્થી જીવોએ તો વિષયોની આસક્તિના ભયંકર પરિણામની છાપ પોતાના મન ઉપર સચોટ પાડવી જોઈએ કે જેથી મન તે તરફ પ્રવૃત્તિ ઓછી કરે. મનની વિષય તરફ પ્રવૃત્તિ ઓછી થવાથી તેને બીજી ગમે તે ક્રિયા તરફ પ્રવૃત્તિ રાખવી પડશે. મનને અહર્નિશ પ્રવૃત્તિમય જ આપણે જોઈએ છીએ તે અનુસાર વિષયોથી નિવૃત્ત થઈ આત્મજ્ઞાન અગર ઇશ્વરભક્તિ તરફ પ્રવૃત્તિ કરશે અને તેમ થવાથી આત્મસ્વરૂપને ઓળખી ઈશ્વરના ચરણકમળમાં પોતાનું મસ્તક નમાવી આત્મસુખની ઇચ્છા પૂર્ણ કરશે. તેમ થવાથી જ વૈરાગ્યભાવના પ્રબળ થાય છે અને તેથી જ આત્મસ્વરૂપ પ્રગટ અનુભવાય છે. તત્ત્વોનું ચિંતન કરવાથી પણ વૈરાગ્યવૃત્તિ દઢ થાય છે. જડ અને ચૈતન્ય એટલે પુદ્ગલ અને આત્મા આ બે તત્ત્વો છે. પ્રકાશ અને અંધારામાં જેટલો તફાવત છે તેટલો તફાવત આત્મા અને પુદ્ગલમાં છે. આ બંને તત્ત્વોના સંબંધમાં સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં અને તેનાં પરિણામો તરફ નજર નાખતાં લાભાલાભનો ખ્યાલ લાવતાં જડ પુદ્ગલો તરફની આસક્તિ ઓછી થાય છે અને આત્મા તરફની લાગણી વધે છે, તેમ થતાં પુદ્ગલો તરફ રખાતી આસક્તિમાં વૈરાગ્યવૃત્તિ મજબૂત થાય છે કે જે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં મુખ્ય સાધન તરીકે પોતાનો પાઠ ભજવે છે. જગતના સ્વભાવનો વિચાર કરવાથી પણ વૈરાગ્યવૃત્તિને પોષણ મળે છે. જડ અને ચૈતન્યથી ભરપૂર આ જગતમાં વારંવાર દરેક ક્ષણે પદાર્થો ઉત્પન્ન થાય છે. અને વિનાશ હું પામે છે. આ જગતના દરેક પદાર્થોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને BOEVROEBBBBBBBBBBBBBBBRUSOBUDURRRRRRUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB18188 88 BBBBBBBBBBBBBBBBBBBBBBBBUBBBGBUBURBSESSE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy