SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 98મ્યમ્ડર રખરખ 88888 શાસ્ત્રકાર કહે છે કે “ખરો વૈરાગ્ય તે જ છે કે વિષયોમાંથી આસક્તિ કાઢી નાખવી; ખાવાપીવાના, જોવાના, સૂંઘવાના, સ્પર્શવાના વગેરે ગમે તેવા મોહક વિષયો તરફ મન આકર્ષાય નહીં તે જ અનાસક્તિ કહેવાય છે.” 8888888888888 88888888888 888888838388a8aa38s338888888888 આ વિષયોમાંથી આસક્તિ દૂર કરવાનું કારણ એ છે કે, ગમે તેવા ઉત્તમ વિષયોનો ગમે તેટલીવાર અનુભવ લીધો હોય છતાં પણ તેનાથી તૃપ્તિ થતી જ નથી; પરંતુ તેથી ઉલટું તે અનુભવેલ વિષયની લાલસા વધતી જાય છે. અગ્નિ જેવી રીતે જરાક સ્થાનક મળવાથી વિશેષ સ્થાનક મેળવવા અને વધારે ફેલાવા માટેનાં જરૂરનાં સાધનો શોધી કાઢે છે, તેવી રીતે વિષયનો લીધેલ અનુભવ વિષયોને શાંત નહીં પાડતા તેમાં વિશેષ આસક્તિ રખાવે છે, અને છેવટે તેમાં લીન કરી ભૂલી જવાને બદલે તેને તાજા જ કરે છે. (88888888 વિષયોથી થોડા વખત સુધી તૃપ્તિ થયેલી જણાય છે કે પાછી તરત જ તેને માટેની ઇચ્છા જાગ્રત થાય છે અને જાણે કોઈ પણ વખત આ વિષયો મળ્યા જ ન હોય તેવી રીતે પાછો તેનો ઉપભોગ કરવામાં આવે છે. વારંવાર આમ કરવા છતાં પણ તેનું પરિણામ શૂન્ય જ આવે છે. લાભને બદલે હાનિ દેખાય છે. શરીર વિષયોથી જર્જરિત અને બળહીન થાય છે. વિવિધ પ્રકારના રોગોની ઉત્પત્તિ થાય છે અને વિષયોમાં ઘણી આસક્તિને લીધે ઘણી ટૂંકી મુદતમાં જ આ દેહનો ત્યાગ કરવો પડે છે. અતિ આસક્તિના ભયંકર પરિણામો અત્યારે નજરે દેખાય છે. ધનમાલથી પાયમાલ થયેલાં સેંકડો કુટુંબો નજરે જોઈએ છીએ. રોગના ભોગ થઈ પડેલા હજારો મનુષ્યો સન્મુખ દેખાય છે. આ સર્વ વિષયોમાં અતિ ŽKURUZUZUZUZENETUTUJURURUZERETETERGRURURURGYZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy