SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [email protected]€¢88888GB8888 ધ્યાન દીપિકા દુઃખને પણ સુખરૂપે માની વધાવી લેવું અને નવીન ઇચ્છાઓને અટકાવવી. આ સર્વ ચારિત્રભાવનાથી મનને દૃઢ સંસ્કારિત કરવાથી બનવું શક્ય છે. ઉદય આવતાં સુખદુ:ખમાં હર્ષશોક ન થવા દેવો તે આ ભાવનાથી પ્રબલ (દઢ) મજબૂત થયેલા મન ઉપર આધાર રહેલો છે; માટે વારંવાર ચારિત્ર ભાવનાનો વિચાર કરી મનને મજબૂત કરવું તે જ આ ભાવનાની સફળતા છે. ૪. વૈરાગ્યભાવના विषयेष्वनभिष्वंगः कार्यं तत्त्वानुचिंतनम् । जगत्स्वभावचिंतेति वैराग्यस्थैर्यभावना ॥११॥ વિષયોને વિષે આસક્તિ ન રાખવી, તત્ત્વોનું ચિંતન કરવું, જગતના સ્વભાવનો વિચાર કરવો, આ ભાવના વૈરાગ્યને સ્થિર કરનારી છે. ૧૧. ભાવાર્થ : વિષય એ સંસારનું કારણ છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ વિષયોથી સંસાર જુદો નથી; આવા હેતુથી આચારાંગસૂત્રના બીજા અધ્યયનમાં કહ્યું છે કે “જે વિષયો છે તે સંસારના હેતુ છે અને જે સંસારના હેતુ છે તે વિષયો છે.” આ સર્વ દશ્ય પદાર્થો, સંભળાતા શબ્દો, ખવાતા રસો, સુગંધમાં આવતી ગંધો અને શરીર અનુભવતા સ્પર્શો તેમનો સર્વથા ત્યાગ થવો તે આ દેહ છતાં બનવું અશક્ય છે કારણકે આ દેહ પણ વિષય છે અને તેના ઉપભોગનાં-પોષણનાં સાધનો પણ વિષયો જ છે. આ આખો સંસાર જ વિષયોથી ભરેલો છે; એટલે તેનો ત્યાગ કરીને દેહધારી જશે ક્યાં ? આ જ કારણથી ૪૨ ૩888883888@Ga8a8a8a8a3sSaa8a8KWK&#&& Jain Education International 8888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy