SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 38.88888888888888 ધ્યાન દીપિકા 9, YSWAટક્સ સમ્મુરમ્ય મ્યુનિસ્ટ 9898 ચારિત્ર ભાવના ईर्यादिविषया यत्ना मनोवाक्कायगुप्तयः । परिषहसहिष्णुत्वमिति चारित्रभावना ||१०|| Tiooll ચાલવા આદિના સંબંધમાં સંયમ નિગ્રહ કરવો, મન, વચન, કાયાની ગુપ્તિ કરવી અને પરિષહ સહન કરવા તે ચારિત્રભાવના છે. ૧૦. ભાવાર્થ : સારામાં સારી રીતે નિર્દોષ જીવન પસાર કરવું તેને ચારિત્ર કહે છે. તે સંબંધી મન ઉપર દઢ સંસ્કાર બેસાડવા તે ચારિત્રભાવના છે. ચારિત્રભાવનાથી નવીન કર્મ આવતાં અટકાવવાનું અને પૂર્વના સંસ્કારોને કાઢી નાખવાનું બળ મનુષ્યોમાં આવે છે. આ સંસારની અંદર રહીને કર્મ ન આવવાના રસ્તાઓ જ્યાં અટકાવી શકવાનું વ્યવહારના જરૂરી પ્રસંગને લઈને બનતું નથી ત્યાં તેને જરૂરિયાત અને લાયકાત મુજબ મર્યાદામાં મૂકવાનું, અર્થાત્ સંક્ષિપ્તમાં બને ત્યાં સુધી બહુ જ થોડી પ્રવૃત્તિ કરવાનું કામ વિચારવાનોએ કરવું જોઈએ અને જ્યાં અશુભને આવવાનો માર્ગ હોય ત્યાંથી અશુભને અટકાવી શુભને આવવાનો રસ્તો ખુલ્લો કરવો જોઈએ. એકદમ સર્વે ક્રિયાઓ અટકાવી શકાતી નથી અને તેમ એકદમ અટકાવવા જતાં તેનું પરિણામ વિપરીત આવે છે, માટે શરૂઆતમાં શુભ ક્રિયાઓનો વધારો કરી અશુભ ક્રિયાઓમાં પ્રવૃત્તિ તદ્દન અટકાવવી અને છેવટે તે શુભને પણ આત્મબળથી અટકાવવી આ માર્ગ છે. ચારિત્રભાવનાના બળથી તે રસ્તો સહેલાઈથી મળી શકે છે. ચાલવા (જવાઆવવા) સંબંધી યતના રાખવો કે કરવી એટલે રસ્તે જતાં આવતાં નીચી દૃષ્ટિ કરી કોઈ નાનામોટા જીવોને ઉપદ્રવ ન થાય તેવી રીતે ચાલવું. ૧. ŠTUJURURUZUKUJETEZURUTUREAUTUKUTUTUTURURURY JE Jain Education International For Private & Personal Use Only 388888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy