SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ Cal101 EIROS, PUBBBUBESPERUBBBBBBBBBBBBBBBBBBBBBUR SERBRORSBEBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUDUBE છે વિવિધ પ્રકારની દેવમાયાને વિષે સંમોહ ન પામે, કારણ કે ચૈતન્યાનંદનો અનુભવ જેણે ચાખેલો છે તે ક્ષણિક વિષયાનંદમાં છે રતિ કેમ પામે ! ૩. દેહ તથા સર્વ સંયોગોથી આત્માને નિરંતર જુદો દેખે. દેહની વ્યથા કે પુદ્ગલસંયોગોથી આત્મજ્ઞાન ભૂલી ન હું જાય, સર્વદા વિવેકદષ્ટિ જાગ્રત હોય. ૪. દેહ અને ઉપાધિનો પણ ત્યાગ કરે. દેહ અને ઉપાધિ ઉપયોગી સાધનો-ઉપર પણ મમત્વ ન કરે. જરૂરી હું પ્રસંગે બન્નેનો ત્યાગ કરતાં અચકાય નહિ. સર્વથા નિઃસંગ શું રહે તે વ્યુત્સર્ગ લિંગ છે. ફળ દ્વાર-૮ શુકૂલધ્યાનના પહેલા બે ભેદોમાં શુભ આશ્રવ હોય છે છે અને તેથી અનુત્તર વિમાન પર્યંતના સુખની પ્રાપ્તિ થાય છે. હું નિર્વાણના માર્ગભૂત સંવર અને કર્મની નિર્જરા પણ થાય છે. મલિન વસ્ત્ર જેમ પાણીથી શુદ્ધ થાય છે, લોઢું જેમ છે અગ્નિથી શુદ્ધ થાય છે અને મેલું પાણી જેમ સૂર્યના તાપથી હું શોષાઈ જાય છે તેમ શુકુલધ્યાનથી કમ નાશ પામે છે-જીવ છે. શુદ્ધ થાય છે. જેમ જુલાબ લેવાથી, ઔષધોપચારથી અને ભૂખ્યા રહેવાથી કેટલાક રોગ શમી જાય છે, નાશ પામે છે તેમ ધ્યાનથી કર્મરોગ નાશ પામે છે. જેમ ઘણા વખતના સંચય કરેલાં ઇંધણાં પવન સહિત અગ્નિની મદદથી થોડા વખતમાં બળીને ભસ્મ થાય છે તેમ હું કર્મરૂપ ઇંધણાંઓ ધ્યાનાગ્નિથી નાશ પામે છે, બળી જાય છે. જેમ આકાશમાં ચડી આવેલી મેઘની ઘટાને પ્રચંડ વાયુ વિખેરી નાખે છે, તેમ ધ્યાનરૂપ પ્રબળ પવન વડે કર્મરૂપ મેઘઘટાને વિખેરી નંખાય છે. શુકુલધ્યાન કરનાર યોગીને 888888888888888888888888888888888888888888888888888888888888888$888888888888888 GRORUBEBUBEBERUBBERBOBBBBBBBBBBBBBBBBBBBBB 389 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy