SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ 388888888888 9RSG-SARSH9699RS8 ધ્યાનદીપિકા ક્રોધ, ઇર્ષ્યા, વિષાદ, શોક, હર્ષ ઇત્યાદિ બાધા પીડા કરી શકતી નથી, અર્થાત્ તેને માનસિક સંતાપ જરા પણ હોતો નથી. શીત, તાપ, ક્ષુધા, તૃષા-ઇત્યાદિ આ શુકૂલધ્યાનીને બાધા પીડા કરી શકતા નથી. હિંસક પશુ, પક્ષી, મનુષ્ય, દેવ અને દાનવાદિ તેની દૃષ્ટિથી જ નિર્વિષ થઈ જાય છે. વૈવિરોધ ભૂલી જઈ શાંત સ્થિતિ અનુભવે છે કેમ કે તે યોગી આ સર્વ જગતનો મિત્ર છે. પ્રભુ છે. આ સર્વ શુક્લધ્યાનના પહેલા બે પાયાનું ફળ છે. છેલ્લા બે ભેદોનું ફળ નિર્વાણપ્રાપ્તિ છે. ઉપસંહાર जन्मजानेकदुर्वारबंधनव्येसनोज्झिताः । सिद्धा बुद्धाच मुक्ताश्च ये तेभ्यो नमो नमः ॥ २०३ ॥ જન્મમરણાદિથી ઉત્પન્ન થનારા અનેક અનિવાર્ય બંધનરૂપ વ્યસનથી મુક્ત થયેલા, જેઓ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વરૂપ છે, તેમને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. शाश्वतानन्दमुक्तेभ्यो रूपातीतेभ्य एव च त्रैलोक्यमस्तकस्थेभ्यः सिद्धेभ्यो मे नमो नमः || २०४ || 1 શાશ્વત આનંદવાળા મુક્તોને, રૂપાતીતોને અને ત્રણ લોકના મસ્તક ઉપર રહેલા સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. अधुना शुक्लध्यानं यतश्चतुर्धापि नास्ति साधूनाम् । पूर्विककेवलिविरहात्तदगम्यं तेन ते तदगुः (जगदुः) ॥२०५॥ હમણાં ચાર પ્રકારનું શુક્લધ્યાન સાધુઓને નથી, કારણ કે પૂર્વધર અને કેવલીના વિરહથી તે અગમ્ય થયું છે. તે કારણથી તે તેમની પાછળ ગયું. અથવા તેઓએ તેમ કહેલું છે. ૩૬૮ ૩88888888¢8a8/s38893833 9898989s9898 Jain Education International 8888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy