SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 8989898989,68 KVY 689668 ઉપરથી પણ મનને હઠાવીને અંતઃકરણ વિનાની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? સમાધાન આ પ્રમાણે છે કે આખા શરીરમાં ઝેર વ્યાપ્ત થઈ ગયું હોય છે તો પણ મંત્રના બલ વડે તે ઝેરના અણુઓને રોકીને, પાછા ખેંચીને ડંખ ઉપર લાવી શકાય છે. અને વિશેષ મંત્રપદો વડે ડંખમાંથી પણ ઝેર દૂર કરી શકાય છે, તેમ ત્રણ ભુવનરૂપ શરીરના અવલંબનવાળું મન તે જન્મમરણનું કારણ હોવાથી ઝેર તુલ્ય છે. તે વિષને જિનવચનરૂપ ધ્યાનના સામર્થ્યવાળા મંત્રબળથી પરમાણુ ઉપર રોકી શકાય છે અને આત્માની અનંતશક્તિ-અચિંત્ય શક્તિ-હોવાથી પ્રયત્ન વડે તે પરમાણુ ઉપરથી પણ દૂર કરી આત્મસ્વરૂપે થઈ રહેવાય છે. અથવા જેમ બળતા લાકડાના ઢગલામાંથી લાકડાં કાઢી લેતાં અગ્નિ મંદ થઈ જાય છે અને જે લાકડાં બળતાં હતાં તે, અગ્નિ હવે બાળવાલાયક પદાર્થ જ ન હોવાથી અનુક્રમે બુઝાઈ જાય છે. આ જ દૃષ્ટાંતે મન એ જ દુઃખરૂપ દાહનું કારણ હોવાથી અગ્નિ, વિષયરૂપ લાકડાં વિનાનો થતાં-૨હેતાંથોડા વિષયરૂપ પરમાણુ ઉપર આવી રહે છે, અને તેટલો પણ વિષય લઈ લેવાથી મન-અગ્નિ શાંત થઈ જાય છે. 888888888888888888888888888888888888 08/88&fafa8a8aa8e8/03 અથવા પાણીની ભરેલી ટાંકી કે ઘડામાંથી પાણી ધીમે ધીમે ઓછું થતું ચાલે છે, અથવા તપાવેલા લોઢાના વાસણમાં રહેલું પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે તેમ જ અપ્રમાદ અથવા આત્મજાગૃતિરૂપ અગ્નિથી તપેલું જીવરૂપ વાસણમાંવાસણના આધારે રહેલું, યોગીઓના મનરૂપ પાણી અનુક્રમે શોષાઈ-સુકાઈને નાશ પામે છે. આવી રીતે યોગીઓ મનોયોગને સર્વથા રોકે છે-શાંત કરે છે. તે જ પ્રમાણે વચનયોગ અને કાયયોગને પણ જ્ઞાનીઓ રોકે છે. યોગોનું સ્વરૂપ આ પ્રમાણે છે. p8308888888888888888888888888838&88&88૨૩૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy