SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ GRUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB cH RHEITUSI 888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 ઔદારિકાદિ શરીરની સાથે મળેલી આત્માની વીર્ય પરિણતિ-શક્તિ-વિશેષ તે કાયયોગ છે. તેમ જ ઔદારિક, વૈક્રિય અને આહારકશરીરના વ્યાપાર વડે બહારથી ખેંચેલા વચનવર્ગણાના દ્રવ્યના સમૂહની મદદથી ચાલતો જીવનનો વ્યાપાર તે વાગયોગ છે. ઔદારિકાદિ શરીરના વ્યાપાર-ક્રિયા વડે ખેંચેલાબહારથી આકર્ષેલા મનોવર્ગણાને યોગ્ય દ્રવ્યની મદદથી ચાલતો જીવનનો વ્યાપાર તે મનોયોગ છે. આ સર્વનો જ્ઞાનપૂર્વક નિરોધ કરનાર અંતર્મુહૂર્તમાં નિર્વાણપદ પામે છે. આ ક્રમ દ્વાર બતાવ્યું. શુકલધ્યાન-ધ્યાનહાર-૩ सवितर्क सविचारं पृथक्त्वं च प्रकीर्तितम् । शुक्लमाद्यं द्वितीयं च विपर्यस्तमतः परम् ॥१९८॥ પૃથફત્વવિતર્ક સવિચાર પહેલું સુકુલધ્યાન કહેલું છે, અને બીજું એકત્વવિતર્ક અવિચાર તેનાથી વિપરીત છે. શુકુલ એટલે શુદ્ધ નિર્મલ, વિભાવ આલંબન વિના, તન્મયરૂપે આત્મસ્વરૂપનો વિચાર તે શુક્લધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપને વિષે રમણતા કરનાર આ ધ્યાન કરી શકે છે. જેવો સિદ્ધનો સ્વભાવ છે તેવો સાધકનો સ્વભાવ થતાં આ શુકૂલધ્યાન સિદ્ધ થાય છે. - તે શુકુલધ્યાનના ચાર ભેદ છે. ૧. પૃથફત્વવિતર્ક સપ્રવિચાર. ૨. એકત્વવિતર્ક અપ્રવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ. ૪. ઉચ્છિન્નક્રિયા અનિવૃત્તિ. પૃથફત્વ-ભિન્ન-ભિન્ન જુદી વહેંચણી કરી નાખવી. જીવથી અજીવને જુદો પાડવો, વિભાવથી સ્વભાવને જુદો હું પાડવો, આત્મદ્રવ્ય અને તેના પર્યાયો તેનો પૃથફ વિચાર BBBBBBBBBBBBBBBBBBURBURU BUBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBAKEBEBUBUBBBGBUBUS BOBERURURERERERERURLAURERERERURURURURURURURKI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy