SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888868888888888888888888888888888 ધ્યાનેદપકા PERSEGRENGASAGNERGNUNGNGASRGRSRSRSRSRSRSRSNGAS NGRUNGNYAGGRERUNGRYNSRSRSRSRSR હું આલંબનથી, કે પ્રવૃત્તિથી કર્મનો ક્ષય થાય છે કે નહિ, કર્મ શત્રુ મરે છે કે કેમ, તે જોવાનું છે. અને જો તે સાધનથી કર્મ ઓછાં થતાં હોય, પરમશાંતિ અનુભવાતી હોય તો તે સાધન તેને પોતાને માટે ઉપયોગી છે એમ માનવું પણ આ જ સાધન બધાને ઉપયોગી છે. બધાએ આ પ્રમાણે જ કરવું, એવો આગ્રહ ન કરવો. કારણ, દરેકનાં કર્મ એકસરખાં નથી હોતાં. દરેકની પ્રકૃતિ એકસરખી હોતી નથી. દરેકના રોગ એકસરખા નથી હોતા માટે ઔષધ-દવા-પણ દરેકને જુદી જુદી જ હોય છે. શુકલધ્યાનનું ક્રમ દ્વાર-ર મનનો વિષય ત્રણ લોક છે : ઊર્ધ્વલોક, અધોલોક છે અને તિચ્છલોક. એ ત્રણ લોકની અંદર રહેલા પદાર્થો તે સર્વનું આલંબન-અવલંબન કરીને મન જીવે છે. અર્થાત્, ત્રણ જગતના તમામ પદાથો એ મનનો ખોરાક છે. અમર આત્માનો આશ્રય અને અખૂટ ખોરાકનું પોષણ આ બે આલંબનોથી મન, જીવને વિવિધ પ્રકારની આકૃતિઓ ધારણ કરાવી ત્રણ જગતમાં અનેક સ્થાને ફેરવે છે. આ વિસ્તારવાળા મનના વિષયનો; અનુક્રમે દરેક વસ્તુનો ત્યાગ કરાવીને અથર્ મનથી તે તે પદાર્થોનું ચિંતન નહિ કરવારૂપે મનને સંક્ષેપીને-સંકોચીને અનુક્રમે એક પરમાણુ ઉપર લાવી મૂકવું. ત્યાર પછી પણ પ્રયત્નવિશેષથી મનને પરમાણું ઉપરથી પણ દૂર કરી અંતઃકરણ વિનાની સ્થિતિ પ્રાપ્ત કરવી. શુક્લધ્યાનના પહેલા બે પાયામાં મનની આવી સ્થિતિ કરી શકાય છે. અહીં કોઈ શંકા કરે તેમ છે કે, ત્રણ ભુવનમાં ફરનાર, વ્યાપ્ત થનાર મનને સંક્ષેપીને ધ્યાન કરનાર એક અણુ ઉપર તેને કેવી રીતે લાવી શકે ? અથવા કેવલજ્ઞાની તે અણુ 2853BZUBURURUBURREREREBBBBBBBBBBBBBBBBBBBBBURURDUBBBBBURKRUHURUBURBRUIKABBER 34COBRZORGBUBURBERBEREDEBBBBBBBUREAUBEHERRER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy