SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ calla EIROS BEBUBUBBARDBEBERRIERZBEBRERUPEREA BERG8888888888888888888YN A RUANNINGNINH8882892998989898828928 ધર્મધ્યાનીનું લક્ષણ अहंदादिगुणीशानां नर्ति भक्तिं स्तुतिं स्मृतिम् । . धर्मानुष्ठानदानादि कुर्वन् धर्मीति लिंगतः ॥१९३॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિઓ ઇત્યાદિ ગુણવાન મહાપુરુષોને નમસ્કાર કરવો, તેમની ભક્તિ કરવી, તેમની સ્તુતિ કરવી, તેમનું સ્મરણ કરવું, ધર્મઅનુષ્ઠાન કરવાં, દાન આપવું, શિયળાદિ વ્રતો પાળવાં, તપશ્ચરણ કરવું, ઉત્તમભાવના રાખવી, ઇત્યાદિ કર્તવ્યો કરનાર બાહ્ય ચિહ્નથી ધર્મી છે, ધર્મધ્યાન કરનાર છે એમ જાણી શકાય. કહ્યું છે કે, .: जिणसाहुगुणकित्तणपसंसणादाणविणयसंपन्नो सूयसीलसंजमरओ धम्मझ्झाणी मुणेअव्वो ॥१॥ જિનેશ્વર તથા સાધુના ગુણ બોલવા, નિરતિચાર સમ્યફ દર્શનાદિ ધારણ કરવાં, તેની પ્રશંસા કરવી, વિશેષ શ્લાઘા કરવી, ભક્તિપૂર્વક સ્તુતિ કરવી, અદ્ભુત્થાનાદિ વિનય કરવો, અશનાદિ દાન આપવું, શ્રુતજ્ઞાન ભણવું, જાણવું, શીલવ્રતાદિ ધારવાં, પ્રાણાતિપાતાદિની વિરતિરૂપ સંયમમાં રક્ત થવું, ઇત્યાદિ લક્ષણોથી આ ધર્મધ્યાની છે તેમ જાણી શકાય છે. ધર્મધ્યાનનું ફળ अस्मिन्नितान्तवैराग्यव्यत्तिषंगतरंगिते । । जायते देहिनां सौख्यं स्वसंवेद्यमतीन्द्रियम् ॥१९४।। त्यक्तसंगास्तनुं त्यक्तवा धर्मध्यानेन योगिनः । अवेयकादिस्वर्गेषु भवन्ति त्रिदशोत्तमाः ॥१९५॥ આ ચાર પ્રકારના ધર્મધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંયોગથી તરંગિત થયેલા દેહધારીઓને પોતે અનુભવ કરી શકે તેવું અને ઇંદ્રિયોના વિષયોને પણ ઓળંગી ગયેલું મહાન CAEREALALALALALALALALALALALALALALALALARUAR (348 PUREBERBURURUBBRESSERRURERURLAUBERBULESCAURURLAUBURURUBBBBBBBBBBRERUPERERE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy