SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા રણVRશ્યુસરસ\BRRRRRRRRGSSC આ સંસારવ્યવહારમાં દેહ, ઇંદ્રિય આદિથી કરાતી જવા, આવવા, બેસવા, વગેરેની ક્રિયા કર્યા સિવાય જીવોને જરા પણ ચાલતું નથી, એમ માનીને હે જીવ ! આ દેહ ઇંદ્રિયો આદિની ક્રિયાને તું મન વિના કર. અર્થાત્ મનની આસક્તિ રાખ્યા વિના નિર્લેપ રહીને કર. आत्मन् सिद्धात्मलग्रोऽहं यदा स्यां भोस्तदा त्वया 1 न गन्तव्यमितीच्छामि गन्तव्यं चेत्तदैव वा ॥ १८९ ॥ 8888888888888888 388888888888888888 888888888888888888888 હે મન ! જ્યારે હું ધ્યાનાવસ્થામાં સિદ્ધાત્માની સાથે (આત્માના શુદ્ધ સ્વરૂપમાં) એકરસ થાઉં ત્યાં સુધી તો મારી પાસેથી જરા પણ દૂર ન જવું એમ હું ઇચ્છું છું. છતાં જો તારે બહાર જવું હોય તો જ્યારે હું આત્મામાં એકરસ થયો હોઉં ત્યારે તારે જવું. આશય એવો છે કે આત્મસ્વરૂપમાં લીન થયા પછી બીજે સ્થળે મન જઈ શકતું નથી, એટલે તેનું જવું કે ન જવું બન્ને સરખું છે. इति ते ध्यान समीपे याचे मे मा भवन्तु व्याधिरुजः । अन्ते मरणसमाधिः शुभगतिर्भवतु परलोके ॥ १९० ।। હે ધ્યાન ! આ પ્રમાણે તારી પાસે યાચના કરું છું કે મને વ્યાધિ કે રોગ ન થાઓ, અને અંતે મરણ સમાધિ તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થાઓ. કહેવાનો આશય એવો છે કે ધ્યાન કરવાવાળો તો સર્વ પ્રકારની વાસના-ઇચ્છા વિનાનો જ હોય છે, પણ ધર્મધ્યાનનું ફળ એ થાય છે કે સર્વથા કર્મનો ક્ષય ન થયો હોવાથી મોક્ષ થતો નથી. તથાપિ તે સાધકને વ્યાધિ કે રોગ થતો નથી, સમાધિપૂર્વક મરણ થાય છે, અને પરલોકમાં સારી ગતિ પ્રાપ્ત થાય છે અને ઇચ્છા થતાં સર્વ અનુકૂળ સંયોગો ધર્મધ્યાનથી મળી આવે છે. झाणोवरमे वि मुणी निच्चमणिच्चाइचिंतणापरमो । होइ सुभावियचितो धम्मझ्झाणेण जो पुव्विं ॥१॥ 3988s3333333*&safa3388888888838383838/૨૩૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy