SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ VR89s988@L89-તને-9336ાનદીપિકા બીજી વસ્તુને ઉતારીશ નહિ. તારા હૃદયમાં તેથી અન્ય કોઈ પણ વસ્તુને સ્થાન આપીશ નહીં. તારા મનમાં કોઈ પણ જાતના વિકલ્પોને પ્રવેશ કરવા દઈશ નહિ. કેમકે આ આત્મા સિવાય બીજી કોઈ પણ વસ્તુ એવી નથી કે તેમાં આસક્તિ રાખવાથી તે બંધનકર્તા ન થતી હોય. શુભકાર્યમાં આસક્તિ રાખવાથી પુણ્યબંધ થાય છે. અશુભ કાર્યમાં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પાપબંધ થાય છે. પુણ્ય સુખ આપનાર હોવાથી સોનાની બેડી જેવું છે, પાપ દુઃખ આપનાર હોવાથી લોઢાની બેડી જેવું છે. સોના લોઢામાં તફાવત ઘણો છે છતાં બંધન તરીકે તો બન્ને સરખું કામ કરે છે. આસક્તિ છે ત્યાં બંધ છે. આથી મનને એમ સમજાવવાનું છે કે હે મન ! આત્મા સિવાય અન્ય વસ્તુનું ધ્યાન-અન્ય વસ્તુના વિચારો આસક્તિથી (સ્વરૂપના અજ્ઞાનથી) બંધનકર્તા થાય છે. માટે અંતઃકરણ તું જાગ્રત થા અને આ અભ્યાસમાં જ-આ ધ્યાનમાં જ લીન થા. તારા મનના મનત્વનો તેમાં જ લય કરી દે. स्वबोधादपरं किंचिन्न स्वांते क्रियते परम् । कुर्यांत् कार्यवशात् किंचित् वाग्कायाभ्यामनातः ॥१७८॥ આત્મજ્ઞાન વિના બીજું કાંઈ પણ અંતઃકરણમાં દાખલ કરવું નહિ, કોઈ કારણસર કાંઈ કરવું પડે તો વચન અને કાયા વડે કરવું અને તે પણ આસક્તિ વિના કરવું. ભાવાર્થ : દેહાદિક સાધનના વ્યવહારરૂપ કાર્ય કરવાની કે તેવી જ પારમાર્થિક કાર્ય કરવાની જરૂર પડે તો કેમ કરવું ? તે માટે કહે છે કે આ ચાલુ કથન સાધના કરનાર નવીન અભ્યાસીને માટે છે. તેણે તો આત્મજ્ઞાનઆત્મધ્યાન આત્મવિચાર સિવાય કાંઈ પણ કાર્ય કે વિચાર માટે અંતઃકરણમાં જગ્યા રાખવી જ નહિ. અહોનિશ તેનું શ્રવણ-મનન અને તેવે આકારે પરિણમવા જ પ્રયત્ન ચાલુ BYYBURGRERERURURUKERETEKERETEKUTERERERUPERERE R 88888838 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy