SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ allon Ellos, BEBRASPBERABERESSEERURSABBALABBER BERBRORUBEREBUBURBEERBRURUBURBERRRRRREBEBEREBURURUBEROEERLBERGSERBREAKBEDEC. નથી અને મારાથી બીજા વડે હું પણ કોઈ રીતે જુદો નથી એટલે મારાથી અન્ય મારી ઉપાસના કરે તેવું પણ કાંઈ નથી, કારણ કે તે પણ મારી માફક પૂર્ણ સ્વરૂપ છે. પોતાના મૂળ સ્વરૂપના અજ્ઞાનથી જ આ ઉપાસ્ય-ઉપાસક ભાવ પ્રગટ થાય છે. સર્વ જીવાત્માઓ પોતાના જ સ્વરૂપને જાણે-અનુભવે તો પછી ઉપાસ્ય-ઉપાસક જેવી સ્થિતિ કે જરૂરિયાત રહેતી નથી. આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહે છે ત્યારે આ જગતના સર્વ જીવો સત્તાસ્વરૂપે તેને પોતાના જેવા શુદ્ધ ભાસે છે, અર્થાત્ મૂળ સ્વરૂપમાં આવી પહોંચ્યા પછી ઉપાસ્ય કે ઉપાસક જુદા રહેતા નથી. ઉપાસ્ય તે જ ઉપાસક બની રહે છે. આત્માની આ પરમ ઉત્કૃષ્ટ અથવા પૂર્ણ દશા છે. મનને શિખામણા अंतःकरणाकर्णय स्वात्माधीशं विहाय मान्यत्त्वम् ।। ध्याने वस्त्ववतारय यतस्तदन्यच्च बंधकरम् ॥१७७॥ હે અંતઃકરણ ! તું સાંભળ. તારા આત્મારૂપે માલિકને મૂકીને અન્ય કોઈ પણ વસ્તુને તું ધ્યાનને વિષે અવતારીશ નહીં. ધ્યાનમાં લાવીશ નહીં, કેમ કે આત્માથી અન્ય સર્વ વસ્તુ કર્મબંધ કરનારી છે, અર્થાત્ બંધમાં ફસાવનારી છે. ભાવાર્થ : શરૂઆતમાં રૂપાતીત ધ્યાનમાં કોઈ કોઈ વખત અપૂર્વ આનંદ આવી જાય છે. પાછા વિક્ષેપો ઘેરી લે છે છે. જેમ જેમ આત્મધ્યાનનું બળ વધતું જાય છે, નિરાકાર ધ્યાન વૃદ્ધિ પામતું જાય છે, તેમ તેમ વિક્ષેપોને હઠાવવાનું અપૂર્વ બળ વધતું જાય છે. તથાપિ અનાદિ કાળના અભ્યાસને લઈ વિક્ષેપમાં ફસાઈ જનારા અંતઃકરણને બુદ્ધિ શિખામણ આપે છે કે હે મન ! તું સાંભળ. મારી વાત પર લક્ષ આપ. $ જો, આ તારો માલિક આત્મા છે. તેને મૂકીને તું તારા મનમાં BREPEREREREREREBBRERERERERERURBABABABABARABRERERURRRRRRRRRRRRRRRRRRRRRERA SAUBERERERURSACHBARSBERERSBEREGRETEREXO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy