SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ BERBSBEREBIARLARRURERSBERGAWAS lol Ells, Rea8d8d8RSRSRSRSRURGRURGISKORUNURURGRENSNYRIRSPURNINGUN ભાવાર્થ : જ્યારે તે સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં યોગી મગ્ન @ થાય છે-એકરૂપ થાય છે-ગ્રહણ કરનાર અને ગ્રહણ કરવાલાયક આવા ભેદો પણ લય પામી જાય છે-ધ્યાન કરનાર ને ધ્યાની એ બન્નેનો અભાવ થઈ જાય છે ત્યારે તે તદ્દન નિરાલંબન થઈ જાય છે. લીધેલું આલંબન અને “હું ધ્યાન કરનાર” આવી વૃત્તિઓનો પણ વિલય થઈ જાય છે-આત્મામાં લય થઈ જાય છે, ત્યારે તે ધ્યાન કરનાર આત્મા-યોગી પોતાનું ધ્યેય જે સિદ્ધ પરમાત્મા તેની સાથે એકભાવ પામી જાય છે, તેનાથી કોઈ પણ રીતે જુદો પડી શકતો નથી અથવા ધ્યાતા પોતે ધ્યેય સ્વરૂપ બની જાય છે. તે વખતની સ્થિતિ કેવી થાય છે ? - यः परमात्मा परं सोऽहं योऽहं स परमेश्वरः ।। __ मदन्यो न मयोपास्यः मदन्येन च नाप्यहम् ॥१७॥ જે પરમાત્મા છે તે હું છું અને જે હું છું તે પરમેશ્વર છે. મારા વડે ઉપાસના (ધ્યાન) કરવા લાયક મારાથી બીજો હું કોઈ નથી અને મારાથી અન્ય વડે હું પણ ઉપાસના કરવા યોગ્ય જુદો નથી (મારાથી બીજો ઉપાસ્ય નથી અથવા મારાથી બીજા વડે ઉપાસના કરવામાં હું જુદો નથી). ભાવાર્થ: ધ્યાન કરનાર જ્યારે તેનું ધ્યાન કરે છે ત્યારે તે, તે સ્વરૂપ થઈ રહે છે, એટલે ધ્યાતા જ્યારે ધ્યેય થઈ રહે છે ત્યારે તે પોતાની સ્થિતિનો જે અનુભવ કરે છે તે આ છે કે જે પરમાત્મા છે, જેનું હું ધ્યાન કરતો હતો તે પરમાત્મા તો હું પોતે જ છું અને હું છું તે પરમાત્મા જ છે. હું જેનું હું ધ્યાન કરતો હતો તેમાં અને મારામાં કોઈ જાતનો તફાવત, હું નથી. અમે કોઈ પણ આત્મસ્થિતિમાં જુદા પડી શકતા નથી. હું મારે ઉપાસના કરવા લાયક મારાથી જુદો બીજો કોઈ BURBERUBBBBBARBERUSERERUPERERERUPERUEREREREREREBERBRERERURLAUBERERERUR NURUMUGRYRGR,am 38288BARBRORO BOEREREBBBBBERBERAREBBRERERERE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy